બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'
AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું
અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'
વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન
ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા
દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Voluntary lockdown deesa Godhra taluka coronavirus
Hiren
Last Updated: 09:11 AM, 23 April 2021
કોરોનાના કેસ વધતા ડીસા અને ગોધરામાં આજથી નવા કડક પ્રતિબંધો લાગુ કરાયા છે. ડિસામાં આજથી 4 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે. શહેરોમાં જીવન જરૂરીયાત સિવાયની તમામ દુકાનો બંધ રખાઇ છે. વેપારીઓ સ્વયંભૂ બંધમાં જોડાયા છે. તો પંચમહાલના ગોધરામાં આજથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવાના પ્રયાસરૂપે આ નિર્ણય લેવાયો છે.
મહત્વનું છે કે ગઇકાલથી સાવરકુંડલામાં 4 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું હતું. તો હળવદમાં વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 5 દિવસનું લોકડાઉન લગાવાયું છે. જ્યારે મહેસાણાની બજાર 11 દિવસ સુધી બંધ રહેશે.
ગુજરાતમાં ગઇકાલે 24 કલાકમાં 13,105 નવા કેસ નોંધાયા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગઇકાલે 24 કલાકમાં કોરોનાના 13,105 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 137 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 5,142 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,55,875 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
137 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 137 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5877 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 376 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 92,084 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5141 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 84 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1558 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 518 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 598 કેસ, જ્યારે ગ્રામ્યમાં 183 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 697 કેસ અને ગ્રામ્યમાં 65 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ