બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / Vitamin B-12 is very important for the body, If it is lacking
Dinesh
Last Updated: 07:08 PM, 26 April 2024
જો આપણા શરીરમાં પોષક તત્વોની અછત થાય તો તેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. શરીરને પુરતા વિટામિન આપવા જરુરી છે. જેમાં વિટામિન બી 12ને ખૂબ મહત્વનું વિટામિન માનવામાં આવે છે. જો શરીરમાં વિટામિન બી 12ની અછત હોય તો થાક લાગવો, આળસ, માંસપેશિયો કમજોર થવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
વિટામિન બી-12ના અછતથી શરીરની અંદરની ક્રિયાઓમાં ફેરફાર થવા લાગે છે. જેમાં હ્રદયના ધબકારા વધવા, રેડ બ્લડ સેલ્સની સાઈઝ વધવી, ઘભરામણ થવી, વધારે ઉંઘ આવવી જેવી સમસ્યા થઈ શકે છે.
જો શરીરમાં લાંબા સમય સુધી વિટામિન બી-12ની અછત રહે છે તો તેનાથી નર્વસ સિસ્ટમ અને હાર્ટ સંબંધિત બીમારી થવાની શક્યતા વધી જાય છે. બી-12નું પ્રમાણ શાકાહારી લોકોમાં ઓછુ હોય તેવી શક્યતા વધુ હોય છે. કેમ કે વિટામિન બી-12નો સ્ત્રોત જાનવરોથી મળતા ફૂડમાં હોય છે. કેટલાક શાકાહારી ખોરાકમાં પણ બી-12નું પ્રમાણ હોય છે.
મસલ્સ કમજોર થવી
વિટામિન બી-12નું પ્રમાણ ઘટી જવાથી તમને માંસપેશિયોની કમજોરી મેહસુસ થવા લાગે છે. જેમાં શરીર અકડાઈ જવું જેવી સમસ્યા પણ થઈ શકે છે.
મોંઢામાં છાલા પડવા
જો શરીરમાં વિટામિન બી-12ની અછત હોય તો મોઢામાં છાલા પડવાની સમસ્યા રહે છે. તેના કારણે તમને જમવામાં અને પાણી પીવામાં તકલીફ પડી શકે છે. જો મોંઢામાં વારંવાર છાલા પડે તો સમજી જવુ કે તમારામાં વિટામિન બી-12 ઓછુ છે.
અશક્તિ આવવી
વિટામિન બી-12 ઘટી જવાથી શરીરમાં કમજોરી લાગે છે. તેનાથી ઉર્જાની અછત મહેસૂસ થાય છે. રોજબરોજના કામ કરવામાં પણ તકલીફ પડે છે.
મટન,ચિકન,માછલી
મટન,ચિકન,માછલીમાં પુરતા પ્રમાણમાં વિટામિન બી-12 હોય છે. જો તમારુ વિટામિન બી-12 ઘટી ગયુ હોય તો આ ખોરાકને ડાયટમાં સામેલ કરવું જોઈએ.
ઈંડા
જે લોકોમાં વિટામિન બી-12નુ પ્રમાણ ઓછુ હોય તે ડાયટમાં ઈંડા સામેલ કરી તેની કમી દૂર કરી શકે છે.
દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ
દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ જેવા કે દહી, પનીર છાસમાં વિટામિન બી-12 હોય છે. આ ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં વિટામિન બી-12 મળી રહે છે.
વાંચવા જેવું: મોટી ઉંમરમાં હાડકાં મજબૂત હશે તો રહેશો ફિટ અને ફાઈન, ફોલો કરો આ 4 સરળ ટિપ્સ
અન્ય શાકાહારી ખોરાક
ડેરી પ્રોડક્ટ સિવાય બીજો શાકાહારી ખોરાક પણ વિટામિન બી-12ની અછતને દૂર કરી શકે છે. જેમાં વિવિધ દાળ, સોયા પ્રોડક્ટ, બ્રોકલી જેવુ ફુડ સામેલ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ