બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ભારત / Politics / 'કોંગ્રેસ 50% અનામતની સીમા તોડી દલિત-પછાત વર્ગનો કોટા વધારશે' રાહુલ ગાંધીનું મોટું એલાન

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ 50% અનામતની સીમા તોડી દલિત-પછાત વર્ગનો કોટા વધારશે' રાહુલ ગાંધીનું મોટું એલાન

Last Updated: 05:19 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ સરકાર એ સુનિશ્ચિત કરશે કે લોકોના હિતમાં અનામત પરની 50 ટકાની મર્યાદા હટાવી દેવામાં આવે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે દાવો કર્યો હતો કે ભાજપની આગેવાની હેઠળની NDAને લોકસભા ચૂંટણીમાં 150 બેઠકો પણ નહીં મળે અને આ ચૂંટણીઓનો હેતુ બંધારણને બચાવવાનો છે જેને ભગવા પક્ષ અને RSS બદલવા માંગે છે. મધ્યપ્રદેશમાં રતલામ-ઝાબુઆ લોકસભા સીટ હેઠળના અલીરાજપુર જિલ્લાના જોબત શહેરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ સરકાર એ સુનિશ્ચિત કરશે કે લોકોના હિતમાં અનામત પરની 50 ટકાની મર્યાદા હટાવી દેવામાં આવે.

400 તો જવા દો, તેમને 150 બેઠકો પણ નહીં મળેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ફરીથી જાતિ આધારિત વસ્તી ગણતરીની હિમાયત કરતા કહ્યું કે આનાથી લોકોની સ્થિતિ વિશે બધું જ જાણવા મળશે અને દેશની રાજનીતિની દિશા બદલાઈ જશે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, “ભાજપના નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ બંધારણ બદલશે. તેમણે 'આ વખતે 400 પાર કરો'નું સૂત્ર આપ્યું છે. 400ને બાજુ પર રાખો, તેમને 150 બેઠકો પણ નહીં મળે.

કોંગ્રેસ અને વિપક્ષ 'ઈન્ડિયા' ગઠબંધન બંધારણની રક્ષા કરી રહ્યા છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતાએ વધુમાં દાવો કર્યો કે, "આ લોકસભા ચૂંટણી બંધારણને બચાવવા માટે છે, જેને ભાજપ અને RSS નાબૂદ કરવા, બદલવા અને ફેંકી દેવા માંગે છે." તેમણે કહ્યું કે કોંગ્રેસ અને વિપક્ષ 'ઈન્ડિયા' ગઠબંધન બંધારણની રક્ષા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, “આ બંધારણ છે એટલે આદિવાસીઓ, દલિતો અને ઓબીસીને લાભ મળી રહ્યો છે. "બંધારણને કારણે જ આદિવાસીઓ પાણી, જમીન અને જંગલો પર તેમનો અધિકાર જાળવી રાખે છે."

આ પણ વાંચોઃ 'ઘરે જાઓ, તો જોજો, નોટોના પહાડ મળી રહ્યાં છે', ઝારખંડના દરોડા પર PM મોદીનું મોટું નિવેદન

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના અધિકારો છીનવી લેવા માંગે છે. "અમે આને રોકવા માંગીએ છીએ,. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે તેઓ આદિવાસીઓ, દલિતો અને ઓબીસીને આપવામાં આવેલ અનામત છીનવી લેશે." કોંગ્રેસ નેતાએ કહ્યું, “હું તમને આ મંચ પરથી કહેવા માંગુ છું કે અનામત છીનવવાની વાતને બાજુ પર રાખો, અમે તેને 50 ટકાથી ઉપર વધારવા જઈ રહ્યા છીએ. "કોર્ટે અનામતની મર્યાદા 50 ટકા સુધી મર્યાદિત કરી છે." રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ સરકાર આદિવાસીઓ, દલિતો અને ઓબીસીને તેમની જરૂરિયાત મુજબ અનામત આપવાનું કામ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ