બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / અજબ ગજબ / viral photo of smiling family at funeral in kerala see people reaction on social media
MayurN
Last Updated: 08:49 PM, 25 August 2022
કેરળમાં અંતિમ સંસ્કાર સમયે ક્લિક કરવામાં આવેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં પરિવારના સભ્યો હસીને શબપેટીની આસપાસ પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ તસવીર પઠાથિટ્ટા જિલ્લાના માલાપલ્લી ગામની છે, જ્યાં ગયા અઠવાડિયે 95 વર્ષીય મરિયમમ્માના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 17 ઓગસ્ટના રોજ તેમનું અવસાન થયું હતું. પરિવારના ઓછામાં ઓછા 40 સભ્યો હસતા જોવા મળે છે કારણ કે તેઓ "ફેમિલી ફોટો" માટે શબપેટી પાસે એકઠા થાય છે. આ ફોટોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી હતી,
થોડા સમયથી તબિયત ઠીક નહોતી
મરિયમમ્મા તેની ઉંમર અને સ્વાસ્થ્યને કારણે એક વર્ષ માટે પથારીવશ રહી હતી, જે છેલ્લા કેટલાક અઠવાડિયામાં વધુ ખરાબ થઈ ગઈ હતી. આઉટલેટે વધુમાં જણાવ્યું હતું કે, તેમના 9 બાળકો અને 19 પૌત્ર-પૌત્રીઓ છે, જે વિશ્વભરમાં અલગ અલગ જગ્યાએ રહે છે, પરંતુ તેમાંના મોટાભાગના હાલ ઘરે હતા.
મરિયમ્મા 95 વર્ષ સુધી સુખેથી રહી હતી
તેના એક સંબંધીએ જણાવ્યું હતું કે, પરિવારનો ઇરાદો આ તસવીર વાયરલ કરવાનો નથી. તેના સંબંધી બાબુ ઉમ્માને જણાવ્યું હતું કે, મરિયમ્મા 95 વર્ષ સુધી સુખેથી રહી હતી અને પોતાના તમામ બાળકો અને પૌત્ર-પૌત્રીઓને પ્રેમ કરતી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ફોટો પરિવારે તેમની સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરવા માટે લેવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કારની નમાઝ બાદ તરત જ શુક્રવારે બપોરે લગભગ 2.15 વાગ્યે આ તસવીર લેવામાં આવી હતી. પરિવારની ઇચ્છા હતી કે તે ફોટો પાડીને તે ફોટાને સાચવે.
મૃતકોને ખુશી સાથે વિદાય કરવી જોઈએ
પરિવારના અન્ય એક સભ્યએ કહ્યું, "જે લોકો આ તસવીરને સ્વીકારી શકતા નથી, તેઓ એવા છે જેમણે મૃત્યુ પછી માત્ર આંસુ જોયા છે. વિલાપ કરવાને બદલે, મૃતકોને ખુશી સાથે રવાના કરી દેવા જોઈએ. અમે પણ આવું જ કર્યું છે." તેમણે કહ્યું કે, તેમને કોઈની સામે કોઈ ફરિયાદ નથી.
કેરળના શિક્ષણમંત્રીએ આપી પ્રતિક્રિયા
કેરળના શિક્ષણ મંત્રી વી શિવાનકુટ્ટીએ પરિવારની તરફેણમાં વાત કરી હતી. મૃત્યુ એક દર્દનાક છે પરંતુ તે એક વિદાય પણ છે, ખુશીથી જીવવા વાળા વ્યક્તિને સ્મિત સાથે વિદાય આપવાથી વધુ ખુશ બીજું શું હોઈ શકે? આ ચિત્રને નકારાત્મક ટિપ્પણીઓની જરૂર નથી." ફેસબુક પર કેટલાક યુઝર્સે ખુશીથી પોઝ આપવા બદલ પરિવારની ટીકા કરી હતી, જ્યારે અન્ય લોકોએ તેમનો બચાવ કરતા કહ્યું હતું કે, આ ફોટોમાં કંઈ ખોટું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT