બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video: ચોમાસાનો આનંદ લેવા પ્રવાસીઓ પહોંચ્યા ગિરનાર, અને વધ્યો પાણીનો પ્રવાહ, પછી જે થયું...!
Last Updated: 12:49 PM, 22 July 2025
Junagadh Jatashankar Temple: જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે રવિવારે મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જાઈ હતી. ગિરનાર પર્વત પર ભારે વરસાદને કારણે પડેલી હાલાકીનો વીડીયો પણ વાયરલ થયો છે. વાત આટલેથી અટકથી નથી ગિરનાર પર્વત પર આવેલું લોકપ્રિય જટાશંકર મહાદેવ મંદિર સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ જટાશંકર મંદિર ગિરનારના જંગલ વિસ્તારમાં આવેલું છે. વરસાદને કારણે મંદિર પાસે નયનરમ્ય ઝરણું જોવા કે ઝરણામાં ન્હાવા આવેલા લોકો ભારે મુસીબતમાં મુકાયા હતા.
ADVERTISEMENT
સહેલાણીઓ પૂરમાં ફસાયા
મળતી માહિતી અનુસાર ગિરનાર પર્વત પર સહેલાણીઓ રવિવારે પૂરના પાણીમાં ફસાયા હતા. વાત એમ બની હતી કે જટાશંકર મહાદેવ મંદિર પાસે આવેલાં ઝરણામાં ધોધમાર વરસાદના કારણે પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પરિણામે ઝરણામાં ન્હાવાની મજા લેવા આવેલા આશરે 20થી વધુ સહેલાણીઓ કે જેમાં મહિલાઓ પણ હતી. તેઓ આ ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
જૂનાગઢ: જટાશંકર મહાદેવ મંદિર પાસે અચાનક પાણીનો પ્રવાહ વધ્યો, 20થી વધુ સહેલાણીનું રેસ્ક્યું#junagadh #jatashankarmahadev #junagadhviralvideo #viralvideo #gujaratinews #vtvdigital pic.twitter.com/gVFYJGw8fg
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 22, 2025
જો કે ઉલ્લેખનીય વાત એ છે કે પ્રશાસન અને વન વિભાગ તરફથી ભારે વરસાદને પગલે પૂરથી સાવધાની રાખવા માટે ઝરણા વિસ્તારમાં પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી હતી. છતાં ઘણા લોકો ઝરણાની મજા માણવા ત્યાં પહોંચી ગયા હતા. અને લોકોની આ જ બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ ઉભી થઈ હતી.
ADVERTISEMENT
સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યા
જો કે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને ફસાયેલા તમામ 20 સહેલાણીઓને સલામત રીતે રેસ્કયુ કરાયા હતા. લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. જો કે આ ઘટનાને પગલે કોઈ જાનહાનિ થયાની માહિતી નથી. પરંતુ આ ઘટનાથી લોકોને વરસાદની સીઝનમાં ખાસ સાવધાની/તકેદારી રાખવા અને અધિકારીઓની ચેતવણીને ગંભીરતાથી લેવાની ફરજ પડી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: 6 વર્ષીય બાળકી પર જંગલીની જેમ તૂટી પડ્યાં રખડતા શ્વાન, અંતે માસૂમ મોતને ભેટી

ADVERTISEMENT
પ્રકૃતિ, સુંદરતા માણવી સારી છે. પણ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જીવ એનાથી પણ વધારે કિંમતી છે. તમારી નાની અમથી બેદરકારી પણ તમારો ભોગ લઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.