બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / Vegetarian crocodile Babia dies in Kerala, used to live in the temple
Megha
Last Updated: 10:48 AM, 11 October 2022
શાકાહારી મગર તરીકે પ્રખ્યાત બાબિયા હવે નથી રહ્યો. કેરળના 'શાકાહારી' મગર બાબિયાનું સોમવારે કાસરગોડના શ્રી આનંદપદ્મનાભ સ્વામી મંદિરમાં મૃત્યુ થયું હતું. તે મંદિરના તળાવમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ મગર 75 વર્ષથી મંદિરમાં આવતા ભક્તો માટે મુખ્ય આકર્ષણ હતું. મંદીરમાં આવતા ભક્તો સમક્ષ તેમને આશીર્વાદ આપવા અને પ્રસાદ ખાવા માટે આ મગર બહાર આવતો હતો. મંદિરના પૂજારીઓ અનુસાર આ મગર પોતાનો મોટાભાગનો સમય ગુફાની અંદર વિતાવતો હતો.
A vegetarian crocodile #Babiya which had been living in Sri Ananthapadmanabha Swamy temple pond in Kerala’s Kasaragod district for more than 70 years died Sunday night
— Dr Durgaprasad Hegde (@DpHegde) October 10, 2022
Hundreds of devotees paid homage to the crocodile pic.twitter.com/G0kiwthwdL
વર્ષોથી ભક્તો માટે કુતૂહલનો વિષય હતો મગર
આ મગર માટે એવું કહેવાય છે કે તેને આજ સુધી કોઈ અન્ય પ્રાણી કે મનુષ્યને નુકસાન પહોંચાડ્યું નથી. સાથે જ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તે માત્ર ભાત અને પ્રસાદ ખાઈને જીવતો હતો. બાબિયા ઘણા વર્ષોથી ભક્તો માટે કુતૂહલનો વિષય રહ્યો હતો અને ભક્તો ત્યાં એ મગર પાસે ભોગ ચઢાવવા અને વ્રત માંગવા આવતા હતા. સવારે અને બપોરે પૂજા બાદ મગરને ભોજન કરાવવામાં આવતું હતું.
શું છે કહાની
વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે સદીઓ પહેલા આ શ્રી આનંદપદ્મનાભ સ્વામી મંદિરમાં એક મહાત્મા તપસ્યા કરતા હતા. આ દરમિયાન ભગવાન કૃષ્ણ બાળકના રૂપમાં આવ્યા અને મહાત્માને પોતાની મસ્તી કરીને હેરાન કરવા લાગ્યા. તેનાથી ગુસ્સે થઈને તપસ્વીએ તેને મંદિર પરિસરમાં બનેલા તળાવમાં ધક્કો મારી દીધો. જ્યારે ઋષિને ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે તે બાળકને તળાવમાં શોધવા લાગ્યા પણ પાણીમાં કોઈ મળ્યું નહીં. સાથે જ પાણીની અંદર ગુફા જેવી તિરાડ દેખાઈ. એ સમયથી એવું માનવામાં આવે છે કે આ ગુફામાંથી ભગવાન અદૃશ્ય થઈ ગયા હતા પણ થોડી વાર પછી એ જ ગુફામાંથી એક મગર બહાર આવ્યો હતો.
A vegetarian crocodile which had been living in a Sree Ananthapadmanabha Swamy Temple pond in Kerala’s Kasaragod district for more than seven decades died Sunday night. The crocodile Babiya, which ate only the rice and jaggery offerings at the temple. pic.twitter.com/lL6i2HuCrT
— 🏹⚔️सौरभ प्रताप सिंह⚔️🏹 (@RajputIndii) October 10, 2022
આ સિવાય લોકો એમ પણ કહે છે 1945માં એક બ્રિટિશ સૈનિકે મંદિરમાં એક મગરને ગોળી મારી હતી અને તેના થોડા દિવસો પછી બાબૈયા મંદિરના તળાવમાં આપમેળે દેખાવવા લાગ્યો હતો. બાબિયાને પહેલા શાકાહારી મગર નામ આપવામાં આવ્યું હતું કારણ કે તે અન્ય કોઈ પ્રાણી અથવા માછલીને નુકસાન પંહોચાડતો નહતો.
બાબિયા શનિવારથી ગુમ હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત મગર રવિવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ તળાવમાં તરતો જોવા મળ્યો હતો. મંદિર પ્રશાસને પોલીસ અને પશુપાલન વિભાગને જાણ કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો