બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:43 AM, 8 January 2026
ભારતીય ઉદ્યોગ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું નિધન થયું છે. આ દુખદ સમાચારની પુષ્ટિ ખુદ અનિલ અગ્રવાલે એક ભાવુક પોસ્ટ દ્વારા કરી છે. પોતાના શબ્દોમાં તેમણે આ દિવસને પોતાના જીવનનો સૌથી ખરાબ દિવસ ગણાવ્યો છે અને પુત્ર વિયોગનો અસહ્ય દુઃખ વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
અનિલ અગ્રવાલે જણાવ્યું કે અગ્નિવેશ માત્ર 49 વર્ષનો હતો, સંપૂર્ણ સ્વસ્થ હતો અને સપનાઓથી ભરેલી જિંદગી જીવી રહ્યો હતો. તેઓ અમેરિકામાં સ્કીઇંગ દરમિયાન થયેલા એક અકસ્માત બાદ ન્યૂયોર્કના માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પરિવારને લાગ્યું હતું કે મુશ્કેલ સમય પસાર થઈ ગયો છે અને હવે પરિસ્થિતિ સુધરી રહી છે, પરંતુ અચાનક આવેલા કાર્ડિયક અરેસ્ટે અગ્નિવેશને પરિવારથી સદાય માટે દૂર કરી દીધો.
પુત્રના નિધન પર અનિલ અગ્રવાલે લખ્યું કે કોઈપણ શબ્દો તે માતા-પિતાના દુઃખને વ્યક્ત કરી શકતા નથી, જેને પોતાના સંતાનને વિદાય આપવી પડે. તેમણે કહ્યું કે પુત્રે પિતાથી પહેલાં દુનિયા છોડવી ન જોઈએ. આ ઘટના તેમના પરિવાર માટે અતિશય તોડનારી છે અને આ ઘાવ કદાચ ક્યારેય ભરાઈ શકશે નહીં.
ADVERTISEMENT
Today is the darkest day of my life.
— Anil Agarwal (@AnilAgarwal_Ved) January 7, 2026
My beloved son, Agnivesh, left us far too soon. He was just 49 years old, healthy, full of life, and dreams. Following a skiing accident in the US, he was recovering well in Mount Sinai Hospital, New York. We believed the worst was behind us.… pic.twitter.com/hDQEDNI262
અનિલ અગ્રવાલે પોતાના પુત્રના જન્મની યાદો પણ શેર કરી. તેમણે લખ્યું કે 3 જૂન 1976ના રોજ પટનામાં એક મધ્યમ વર્ગીય બિહારી પરિવારમાં અગ્નિવેશનો જન્મ થયો હતો. સમય સાથે તે એક મજબૂત, દયાળુ અને ઉદ્દેશ્યભર્યા વ્યક્તિ તરીકે વિકસ્યો. પરિવારના મૂલ્યો, સંઘર્ષ અને સાદગી તેની વ્યક્તિત્વમાં સ્પષ્ટ રીતે દેખાતી હતી.
ADVERTISEMENT
અગ્નિવેશ પોતાની માતા માટે જીવનની રોશની સમાન હતો. તે એક રક્ષક ભાઈ, વિશ્વાસૂ મિત્ર અને સારા દિલનો માનવી હતો. અનિલ અગ્રવાલે લખ્યું કે તેમનો પુત્ર માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહોતો, પરંતુ એક ખેલાડી, સંગીતપ્રેમી અને નેતૃત્વ ક્ષમતા ધરાવતો વ્યક્તિ પણ હતો. તેણે મેયો કોલેજ, અજમેરમાં અભ્યાસ કર્યો હતો અને બાદમાં ફુજૈરાહ ગોલ્ડ જેવી પ્રતિષ્ઠિત કંપનીની સ્થાપના કરી હતી.
વ્યવસાયિક જીવનમાં અગ્નિવેશે હિંદુસ્તાન ઝિંકના ચેરમેન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે સહકર્મીઓ અને મિત્રોમાં અપાર માન-સન્માન મેળવ્યું હતું. આટલી મોટી સિદ્ધિઓ છતાં તે હંમેશા સરળ, મળતાવડો અને જમીન સાથે જોડાયેલો માનવી રહ્યો. સફળતાએ ક્યારેય તેની માનવતાને ધૂંધળી થવા દીધી નહોતી.
ADVERTISEMENT
પિતા તરીકે અનિલ અગ્રવાલે લખ્યું કે અગ્નિવેશ તેમના માટે માત્ર પુત્ર નહીં, પરંતુ મિત્ર, ગર્વ અને આખી દુનિયા હતો. તેમણે જણાવ્યું કે તેઓ અને તેમની પત્ની કિરણ આ દુઃખથી તૂટી ગયા છે. તેમ છતાં, તેમણે આ દુઃખની ઘડીમાં પણ યાદ કરાવ્યું કે વેદાંતા ગ્રુપમાં કામ કરતા હજારો યુવાનો પણ તેમના સંતાન સમાન છે.
અગ્નિવેશ આત્મનિર્ભર ભારતના વિચારમાં દ્રઢ વિશ્વાસ રાખતો હતો. તે પોતાના પિતાને વારંવાર કહેતું કે ભારત પાસે કોઈ બાબતની કમી નથી અને દેશને પાછળ રહેવાની જરૂર નથી. આ વિચારધારા તેની વિચારસરણી અને કાર્યમાં સ્પષ્ટ દેખાતી હતી.
ADVERTISEMENT
અનિલ અગ્રવાલે વધુમાં લખ્યું કે તેમણે અને તેમના પુત્રે સાથે મળીને એક સ્વપ્ન જોયું હતું, જેમાં કોઈ બાળક ભૂખ્યો ન સૂએ, કોઈને શિક્ષણથી વંચિત ન રહેવું પડે, દરેક મહિલા આત્મનિર્ભર બને અને દરેક યુવાનને અર્થપૂર્ણ રોજગાર મળે. તેમણે પોતાના પુત્રને વચન આપ્યું હતું કે પોતાની કમાણીનો 75 ટકા કરતાં વધુ હિસ્સો સમાજને પરત આપવામાં આવશે. આજે તેમણે એ વચનને ફરીથી દોહરાવ્યું છે અને વધુ સરળ જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અચાનક PM મોદીએ ઈઝરાયેલના PM નેતન્યાહૂને કરી લીધો ફોન, જાણો શું વાત થઈ?
આ પોસ્ટના અંતે અનિલ અગ્રવાલે લખ્યું કે અગ્નિવેશની સામે આખી જિંદગી હતી અને અનેક સપનાઓ હજુ અધૂરા રહ્યા. તેની ગેરહાજરી પરિવાર અને મિત્રોના જીવનમાં એક કાયમી ખાલીપો છોડી ગઈ છે. તેમણે તમામ મિત્રોને, સહકર્મીઓને અને શુભચિંતકોને આભાર વ્યક્ત કર્યો છે, જેમણે અગ્નિવેશને હંમેશા સાથ આપ્યો. તેમણે લખ્યું કે અગ્નિવેશ તેમના દિલોમાં, તેમના કામમાં અને તે દરેક જીવનમાં જીવતો રહેશે, જેને તેણે સ્પર્શ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.