બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ફટાકડા ફોડતા દાઝી ગયા હોય તો તાત્કાલિક કરી લેજો આ કામ, દર્દમાંથી મળશે રાહત
Last Updated: 05:43 PM, 20 October 2025
પ્રકાશ અને ઉત્સાહનો તહેવાર દિવાળી મીઠાઈ, પકવાન અને ફટાકડાઓ વિના અધૂરો લાગે છે. પરંતુ આનંદ અને ઉજવણીની વચ્ચે લોકો પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે. દર વર્ષે દિવાળીના દિવસોમાં ફટાકડાના કારણે દાઝવાના, આંખમાં ઈજા થવાના અને શ્વાસની તકલીફો વધવાના અનેક કેસો સામે આવે છે. આરોગ્ય નિષ્ણાતો લોકોને ખાસ તકેદારી રાખવા અનુરોધ કરી રહ્યા છે.
ADVERTISEMENT

ફટાકડાના ધુમાડાના કારણે અસ્થમા અને શ્વાસની સમસ્યાઓ વધુ તીવ્ર બની શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે મીઠાઈ અને તળેલા ખોરાક બ્લડ શુગર વધારવાનું જોખમ વધારી શકે છે. આ ઉપરાંત ફટાકડા ફોડતા સમયે થોડી બેદરકારી ગંભીર ઈજા અથવા દાઝવાનું કારણ બની શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફટાકડા ફોડતી વખતે બાળકો અને વડીલો ખાસ સાવચેત રહેવું જોઈએ.
ADVERTISEMENT
હળવી દાઝ માટે તરત ઉપાય
જો ફટાકડાના કારણે હાથ અથવા સ્કીન દાઝી જાય તો સૌપ્રથમ દાઝેલા ભાગને 10 થી 15 મિનિટ સુધી ઠંડા પાણીમાં રાખવો. આ પગલાથી બળતરા અને સોજો ઓછો થાય છે. ત્યારબાદ એ ભાગને સ્વચ્છ પાણીથી ધોઈને સૂકા, સાફ કપડાથી ઢાંકી દેવો જેથી ધૂળ કે ગંદકી ન લાગે. આ રીતે ચેપ થવાનો ખતરો ઘટે છે.દાઝ્યા બાદ સ્કીન પર ફોલ્લા પડી શકે છે. તે ફોડવા નહીં. ડૉક્ટર સાથે સલાહ કર્યા વિના કોઈ પણ ક્રીમ અથવા દવા ન લગાવવી. સામાન્ય રીતે નિષ્ણાતો એન્ટિસેપ્ટિક ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝિંગ લોશન વાપરવાની સલાહ આપે છે જેથી સ્કીન સૂકાઈ નહીં અને ઈજા વધે નહીં.
ADVERTISEMENT

એલોવેરા અને નાળિયેર તેલ ફાયદાકારક
ADVERTISEMENT
એલોવેરામાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ દાઝેલા ભાગમાં ચેપ થતો અટકાવે છે અને બળતરા ઘટાડે છે. છોડમાંથી સીધો કાઢેલો શુદ્ધ એલોવેરા જેલ વધુ અસરકારક માનવામાં આવે છે. સાથે જ નાળિયેરનું તેલ પણ દાઝ્યા બાદ સ્કીનને ઠંડક પહોંચાડે છે અને ડાઘ ઘટાડવામાં મદદરૂપ બને છે કારણ કે તેમાં વિટામિન E હોય છે.

ADVERTISEMENT
આંખોની સુરક્ષા પણ મહત્વપૂર્ણ
ફટાકડાના કારણે હાથ જ નહીં પરંતુ આંખને પણ ગંભીર નુકસાન થવાનું જોખમ રહે છે. નિષ્ણાતો કહે છે કે ફટાકડા ફોડતી વખતે ચશ્માનો ઉપયોગ કરવો, ફટાકડાને ચહેરા પાસે લાવવો નહીં અને સલામત અંતર જાળવવું ખૂબ જરૂરી છે. ઘણા ગંભીર કેસોમાં આંખની દ્રષ્ટિ ગુમાવવાના બનાવો પણ નોંધાયા છે.
ADVERTISEMENT

ગંભીર ઈજા થાય તો તરત હોસ્પિટલ પહોંચો
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ઘરેલુ ઉપાય માત્ર હળવી દાઝ અથવા ઈજાઓ માટે જ ઉપયોગી છે. જો ત્વચા ગંભીર રીતે દાઝી ગઈ હોય, ફોલ્લા મોટા હોય, આંખમાં ઈજા થઈ હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તરત નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે.દિવાળીના ઉત્સવને આનંદદાયક અને સુરક્ષિત બનાવવા માટે જરૂરી છે કે આપણે ઉજવણીની સાથે સુરક્ષા પણ જાળવીએ. આનંદમાં બેદરકારી નહીં, તકેદારી રાખવી એ જ સાચી ઉજવણી ગણાય.
આ પણ વાંચો: VIDEO: વડોદરાના યુવાનોએ કર્યો કેદારનાથ મંદિરનો દિવ્ય શૃંગાર, નજારો ભાવ વિભોર કરે તેવો
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.