બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Union Home Minister Amit Shah held a press conference after inspecting the areas affected by Cyclone Biparjoy
Dinesh
Last Updated: 08:31 PM, 17 June 2023
બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા હતા. જેમણે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું તેમજ સેલટર હોમ ખાતે રહેલા લોકોને મળ્યા હતા. સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પત્રકાર પરિષદ યોજી હતી
'વાવાઝોડાની આપદા સામે સફળ થયા છીએ'
અમિત શાહે જણાવ્યું કે, બિપોરજોયના 6 તારીખે સમાચાર સામે આવ્યા હતા ત્યારે બધાના મનમાં ઘણી બધી આશંકા હતી અને પરંતુ આજે ખૂબ જ સંતુષ્ઠી સાથે આજની રિવ્યું મીટિંગમાં કહી શકું છું કે, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીથી લઈ ગામના તલાટી સુધી તેમજ તમામ ચૂટાયેલા પ્રતિનિધિઓએ તેમજ વહીવટી તંત્ર ખૂબ સારૂ કામ કર્યું છે. તેમણે જણાવ્યું કે, ઓછામાં ઓછા નુકસાની થાય તે રીતે કામ કરી આ વાવાઝોડાની આપદા સામે સફળ થયા છીએ.
'સહાયની એક પેર્ટન બનેલી છે જેના આધારે ગુજરાત સરાકર પેકેજ બનાવશે'
તેમણે જણાવ્યું કે, સૌથી પહેલી અમારી પ્રાયોરિટી છે જેઓ વિસ્થાપિત થયા છે તેમને ઘરે મુકવા. તેમણે સહાયને લઈ જણાવ્યું કે, સહાયની એક પેર્ટન બનેલી છે જેના આધારે ગુજરાત સરકાર પેકેજ બનાવશે અને જાહેર કરશે. અત્યારે વીજળી અને પાણીનો સપ્લાય કરવાની કામગીરી યુદ્ધના ઘોરણ કરવામાં આવી રહી છે. સૌથી પહેલા જે વિસ્થાપિત થયેલા નાગરિકોને તેમના ઘરે સલામતી પૂર્વક પહોંચાડવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું
#WATCH | Gujarat: Our priority is to restore people back to their homes. The pattern for the support package has been prepared, Gujarat Govt will make an announcement for the same: Union Home Minister Amit Shah pic.twitter.com/U2zWCerKkb
— ANI (@ANI) June 17, 2023
ટીમ વર્કનો ઉત્તમ ઉદાહરણ ગુજરાત સરકારે પૂરૂ પાડ્યું: ગૃહમંત્રી અમિત શાહ
તેમણે કહ્યું કે, આ વાવાઝોડા સામેની લડાઈમાં તલાટીથી લઈ જિલ્લા અને તાલુકા દરેક પ્રતિનિધિ ખૂબ જ સારૂ કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે, તમામ રાજનીતિ પક્ષો તેમજ એનજીઓએ સમય પર મળેલી સૂચનાઓના ઉપયોગ જાન માલને કઈ રીતે બચાવી શકાય તે દીશામાં કામ કર્યું છે. તેમણે કહ્યું કે આ ટીમ વર્કનો ઉત્તમ ઉદાહરણ ગુજરાત સરકારે પૂરૂ પાડ્યું છે. તેમણે કહ્યું કે, એક પણ વ્યક્તિનું મૃત્યુ આ વાવાઝોડામાં થયું નથી તેમજ માત્ર 47 લોકોને ઈજા પહોંચી છે. ઓછામાં ઓછું નુકસાન ભોગવવવું પડે તે રીતે તમામે કામ કર્યું છે. તેમણે કહ્યું કે, 20 જુન સુધીમાં સમગ્ર વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં વીજળી ચાલુ કરી દેવામાં આવશે.
#WATCH | Gujarat: The Gujarat Government has fully implemented NDMA guidelines during the #CycloneBiporjoy. In the last 40 years, I have visited several places but for the first time, I have seen happy faces without any complaints. This is because of the preparedness of the… pic.twitter.com/8jkmT8z3v4
— ANI (@ANI) June 17, 2023
અમિત શાહે-ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું હવાઈ નિરીક્ષણ
કચ્છ જિલ્લામાં બિપોરજોયની અસરની વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જખૌ પોર્ટનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અમિત શાહ જખૌ સેલટર હોમ ખાતે રહેલા લોકોને પણ મળ્યા હતા. જે બાદમાં માંડવી ખાતે પ્રભાવિત થયેલ લોકો સાથે અમિત શાહે મુલાકાત કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો