બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM મોદી ફરી ગુજરાત આવશે, કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
Last Updated: 06:09 PM, 30 March 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી વાવ-થરાદ ખાતેથી 20 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ADVERTISEMENT

જેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના 10 હજાર 921 કરોડના તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના 8 હજાર 886 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કડી શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક, ધોળા દિવસે મહિલાને નિશાન બનાવી લૂંટ
પીએમ મોદી તેમના પ્રવાસની શરૂઆત આધ્યાત્મિક વારસાના દર્શન સાથે થશે, જ્યાં ગાંધીનગરના કોબા ખાતે જૈન ઇતિહાસને સમર્પિત ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરી અહિંસાનો વૈશ્વિક સંદેશ આપશે. જે બાદ સાણંદમાં 'કેન્સ સેમિકોન પ્લાન્ટ'નું ઉદ્ઘાટન કર્યા બાદ વાવ-થરાદ ખાતે વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.