બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સીફર્ટના ન્યૂઝીલેન્ડ રવાના થતાં પહેલાં બંને આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેના કારણે તેને ભારતમાં જ રોકાવું પડ્યું હતું. જ્યારે બાકીના કિવી ખેલાડીઓ ઘરે પરત ફર્યા હતા. જોકે, ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર બેટ્સમેન સીફર્ટ હવે કોરોનાથી સ્વસ્થ થઈ ગયો છે અને ગયા અઠવાડિયે સ્વસ્થ થયા પછી તે પોતાના દેશ પરત ફર્યો હતો અને હાલ તે 14 દિવસના ફરજિયાત ક્વોરન્ટાઈન પીરિયડમાં છે.
What gets Tim Seifert through days in quarantine? 🥘
— BLACKCAPS (@BLACKCAPS) May 25, 2021
He’ll fill you in as he counts down to his MIQ release mid next week 👍#CricketNation #Cricket pic.twitter.com/QO9BK7U1bf
ADVERTISEMENT
કોરોનાનું દર્દ જણાવતા રડી પડ્યો સીફર્ટ
ADVERTISEMENT
ટિમ સીફર્ટે કોરોનાનું દર્દ જણાવ્યું. ક્રિકેટરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- પોઝિટિવ હોવાની જાણકારી મળવી સૌથી ખરાબ સમય હતો. જ્યારે સીફર્ટ આ અંગેની જાણકારી શેર કરી રહ્યો હતો ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ઈમોશનલ થઈને રડી પડ્યો. પ્રેસ કોન્ફરન્સમાં રહેલાં પત્રકારોએ સીફર્ટને હિમ્મત આપી અને પછી ક્રિકેટર પોતાની વાત જણાવી. 26 વર્ષીય ક્રિકેટરે જણાવ્યું કે કેકેઆરના કોચ બ્રેન્ડન મેકુલમ અને સીએસકે કોચ સ્ટીફન ફ્લેમિંગે મુશ્કેલીના સમયમાં ઘણી મદદ કરી.
એક રિપોર્ટ મુજબ, સિફેર્ટે કહ્યું કે ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજરે મને પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ દેખાડી. ત્યારે હું ડરી ગયો અને મને ખબર નહોતી કે આગળ શું કરવાનું છે. એ બધું ડરામણું હતું. મને લાગ્યું મારી સાથે પણ ખરાબ થશે. ત્યારે સીફર્ટે મેકુલમ અને ફ્લેમિંગ વિશે કહ્યું કે એ લોકોને મારા માટે બધું સરળ બનાવી દીધું. તેમણે ખાતરી કરી કે બધું બરાબર થાય.
ADVERTISEMENT
સીફર્ટે કોઈ આઈપીએલ મેચ રમી ન હતી
કિવી વિકેટકીપરે વધુમાં કહ્યું કે સીએસકે મેનેજમેન્ટ અને કોલકાતા નાઈટ રાઇડર્સના સીઈઓએ મારા જીવનને સરળ બનાવ્યું. તેમણે મને ખાતરી આપી કે બધું સારું થઈ જશે અને જ્યારે ઘરે પાછા ફરવાનો સમય આવશે ત્યારે તેઓ મને સુરક્ષિત ઘરે લાવવા માટે તમામ શક્ય પ્રયત્નો કરશે. જણાવી દઈએ કે સીફર્ટ કેકેઆરનો ભાગ રહ્યો પરંતુ તેને હજી સુધી કોઈ મેચ રમવાની તક મળી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.