બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / These 3 Rashi are favorite Shanidev will get good fruits karma

ગુરુ નક્ષત્ર / શનિદેવની પ્રિય છે આ 3 રાશિ, મળશે કર્મોના સારા ફળ, 7 પેઢીને નહીં ખૂટે ઘન

Ajit Jadeja

Last Updated: 09:59 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ 6 એપ્રિલના પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરે છે. 3 ઓક્ટોબર, 2024 સુધી આ નક્ષત્રમાં રહેશે

શનિદેવ 6 એપ્રિલના પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરે છે. 3 ઓક્ટોબર, 2024 સુધી આ નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્રમાં રહેવાથી શનિદેવ 3 રાશિઓને મોટી સફળતા અપાવશે. શનિદેવની કૃપાથી કાર્ય પૂર્ણ થશે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. હિન્દુ ધર્મમાં શનિદેવને કર્મફળ આપનાર દેવતા કહેવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને પોતાના કર્મોનું ફળ આપે છે. શનિદેવ જે લોકો પર પ્રસન્ન રહે છે તેમને ઘણી સફળતા મળે છે અને આર્થિક સમસ્યાઓ પણ સમાપ્ત થાય છે. જ્યોતિષીય ગણતરી મુજબ શનિદેવ અઢી વર્ષ પછી રાશિ બદલી નાખે છે. આ સિવાય શનિના નક્ષત્રમાં પરિવર્તનની અસર તમામ રાશિના લોકો પર પડે છે.

શનિદેવનું નક્ષત્ર પરિવર્તન

શનિદેવ 6 એપ્રિલે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કર્યું છે. આ પછી તે 3 ઓક્ટોબર, 2024 સુધી આ નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્રમાં રહેવાથી શનિદેવ 3 રાશિઓને મોટી સફળતા અપાવશે. શનિદેવની કૃપાથી કાર્ય પૂર્ણ થશે અને પુષ્કળ ધન પ્રાપ્ત થશે. 

1. વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે. કોઈ કામ અધૂરું રહી ગયું હશે તો તેમાં સફળતા મળશે. તમને તમારા કામમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. નોકરી કરતા લોકોના કામની પ્રશંસા થઈ શકે છે. સારા કામને ધ્યાનમાં રાખીને પ્રમોશન પણ મળી શકે છે. શનિદેવની કૃપાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે અને તમારી બેંક બેલેન્સની સ્થિતિ પણ સારી રહેશે. સમાજમાં તમને માન-સન્માન મળશે.

2. કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો પર શનિદેવની કૃપા રહેશે. જો કોઈ કોર્ટ સંબંધિત મામલો ચાલી રહ્યો હોય તો તે પુર્ણ થશે. પરિવારમાં કોઈની સાથે વિવાદ ચાલતો હશે તે પણ ઉકેલાઇ જશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો મળશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. નોકરીયાત લોકોની જગ્યાઓ વધી શકે છે. વેપારીઓનો વેપાર વધી શકે છે. જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવાનું વિચારી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે.

આ પણ વાંચોઃ જાંબુઘોડામાં બિરાજે છે ઝંડ હનુમાનજી, દર્શન કરનાર ભક્તને ક્યારેય નથી નડતી શનિની પનોતી

3. સિંહ રાશિ

શનિનું ગોચર સિંહ રાશિના જાતકો માટે અપાર સફળતા લાવશે. પારિવારિક સંબંધો મજબૂત થશે અને પરિણીત લોકોના જીવનમાં સમસ્યાઓનું સમાધાન થશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. જે લોકો પરણ્યા નથી તેઓ સંબંધમાં આવી શકે છે. જો તમે રોકાણ કરશો તો તમને સારા પરિણામ મળશે. આવકના નવા સ્ત્રોત બનશે જેના કારણે આર્થિક સ્થિતિ સારી રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ