બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / supreme court prohibits offering panchamrit in the shivling of mahakaleshwar temple in ujjain
Last Updated: 08:26 AM, 2 September 2020
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે શિવલિંગને ક્ષરણથી બચાવવા અને સંરક્ષિત કરવા માટે તમામ આદેશ પસાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ભક્ત શિવલિંગ પર કોઈ પણ પંચામૃત વગેરેનો લેપ ન કરે. ભસ્મ આરતીને સુધારવામાં આવે જેતી પીએચ વેલ્યૂ યોગ્ય રહે અને શિવલિંગ સુરક્ષિત રહે. આ માટે સારામાં સારી રીત અપનાવવામાં આવે. શિવલિંગ પર મુંડમાલ પર ભાર ઓછો કરવામાં આવે. આ વાત પર વિચાર કરવામાં આવે કે મેટલવાળુ મુંડવાલ અનિવાર્ય છે.

ADVERTISEMENT
અદાલતનું કહેવું છે કે દહીં, ઘી અને મધુ લેપન(રબ) કરવાના કારણે શિવલિંગનું પડ ક્ષરણ થઈ રહ્યું છે. આ યોગ્ય રહેશે કે મર્યાદિત માત્રામાં શુદ્ધ દૂધ શિવલિંગ પર ચઢાવવામાં આવે. પરંપરાગત પૂજા ફક્ત શુદ્ધ વસ્તોથી થતી રહી છે. પુજારી તથા પંડિતો આ વાતને સુનિશ્ચિત કરે કે કોઈ પણ ભક્ત શિવલિંગને ન લેપે. જો કોઈ ભક્ત એવું કરતો ઝડપાયો તો પુજારીની જવાબદારી રહેશે. કોઈ ભક્ત શિવલિંગને લેપશે અથવા રગળશે નહીં પરંતુ મંદિર દ્વારા પંરપરાગત પુજા થશે. ગર્ભગૃહમાં પૂજા સ્થળની 24 કલાકની રેકોર્ડિંગ કરવામાં આવશે અને 6 મહિના માટે તેને સાચવવામાં આવશે. કોઈ પણ પુજારી આ મામલાના આદેશનું ઉલંઘન કરે છે તો મંદિર કમિટી એક્શન લઈ શકે છે. કોઈ પણ ભક્ત પંચામૃત નહીં ચઢાવે. પરંતુ મંદિર દ્વારા પરંપરાગત પુજામાં તેનો ઉપયોગ થઈ શકે છે.

ADVERTISEMENT
કોર્ટે રુડકી સીબીઆરઆઈને કહ્યું છે કે તે મંદિરના સ્ટ્રક્ચર વિશે પોતાનો રિપોર્ટ રજૂ કરે. ઉજ્જૈનના એસપી અને કલેક્ટરને કહેવામાં આવ્યું છે કે તે મંદિરના 500 મીટરના ઘેરામાં દબાણને હટાવે. હકિકતમાં સુપ્રીમ કોર્ટે આમામલામાં આર્કિયોલોજીકલ કર્વે ઓફ ઈન્ડિયાના એક્સપર્ટ કમિટી પાસે સજેશન માંગ્યા હતા તે કેવી રીતે મંદિરના સ્ટ્રક્ચર અને શિવલિંગના ક્ષરણને રોકવામાં આવે અને શિવલિંગન સંરક્ષિત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચે પોતાના નિર્ણયમાં કહ્યું કે મંદિરની એક્સપર્ટ કમિટિની આદેશ આપ્યો છે કે તે મંદિર વિશે 15 ડિસેમ્બર 2020 સુધી રિપોર્ટ રજુ કરે કે કેવી રીતે તે મંદિરના શિવલિંગને પ્રોટેક્ટ કરી શકાય અને મંદિરના સ્ટ્રક્ચરને સંરક્ષિત કરી શકાય. કોર્ટે કહ્યું કે કમિટી દર વર્ષનો સર્વે રિપોર્ટ રજુ કરે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.