ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર મામલામાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવતા શિવલિંગને ક્ષરણથી બચાવવા માટે તમામ આદેશો આપ્યા છે. અદાલતનું કહવું છે કે મંદિરના શિવલિંગ પર કોઈ પણ ભક્ત પંચામૃત નહીં ચઢાવે. પરંતુ શુદ્ધ દુધથી પુજા કરાશે. અદાલતે મંદિરની કમિટીને કહ્યુંકે તે ભક્તો માટે શુદ્ધ દુધની વ્યવસ્થા કરે અને તે સુનિશ્ચિત કરે કે કોઈ અશુદ્ધ દુધ શિવલિંગ પર ન ચઢાવે. સુપ્રીમ કોર્ટે મંદિરના શિવલિંગના સંરક્ષણ માટે તમામ આદેશ પસાર કરવામાં આવ્યા છે. જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાની વાળી બેંચે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર મામલામાં નિર્ણય સંભળાવ્યો હતો. જસ્ટિસ અરુણ મિશ્રાએ પોતાના કાર્યકાલના અંતમાં આ નિર્ણય સંભળાવ્યો હતો. નિર્ણય સંભળાવતા જસ્ટિસ મિશ્રાએ કહ્યુંકે ભગવાન શિવની કૃપાથી આખરે નિર્ણય પણ થઈ ગયો છે.
તે મંદિરના 500 મીટરના ઘેરામાં દબાણને હટાવે
મર્યાદિત માત્રામાં શુદ્ધ દૂધ શિવલિંગ પર ચઢાવવામાં આવે
શિવલિંગ પર કોઈ પણ ભક્ત પંચામૃત નહીં ચઢાવે
સુપ્રીમ કોર્ટે શિવલિંગને ક્ષરણથી બચાવવા અને સંરક્ષિત કરવા માટે તમામ આદેશ પસાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ભક્ત શિવલિંગ પર કોઈ પણ પંચામૃત વગેરેનો લેપ ન કરે. ભસ્મ આરતીને સુધારવામાં આવે જેતી પીએચ વેલ્યૂ યોગ્ય રહે અને શિવલિંગ સુરક્ષિત રહે. આ માટે સારામાં સારી રીત અપનાવવામાં આવે. શિવલિંગ પર મુંડમાલ પર ભાર ઓછો કરવામાં આવે. આ વાત પર વિચાર કરવામાં આવે કે મેટલવાળુ મુંડવાલ અનિવાર્ય છે.
અદાલતનું કહેવું છે કે દહીં, ઘી અને મધુ લેપન(રબ) કરવાના કારણે શિવલિંગનું પડ ક્ષરણ થઈ રહ્યું છે. આ યોગ્ય રહેશે કે મર્યાદિત માત્રામાં શુદ્ધ દૂધ શિવલિંગ પર ચઢાવવામાં આવે. પરંપરાગત પૂજા ફક્ત શુદ્ધ વસ્તોથી થતી રહી છે. પુજારી તથા પંડિતો આ વાતને સુનિશ્ચિત કરે કે કોઈ પણ ભક્ત શિવલિંગને ન લેપે. જો કોઈ ભક્ત એવું કરતો ઝડપાયો તો પુજારીની જવાબદારી રહેશે. કોઈ ભક્ત શિવલિંગને લેપશે અથવા રગળશે નહીં પરંતુ મંદિર દ્વારા પંરપરાગત પુજા થશે. ગર્ભગૃહમાં પૂજા સ્થળની 24 કલાકની રેકોર્ડિંગ કરવામાં આવશે અને 6 મહિના માટે તેને સાચવવામાં આવશે. કોઈ પણ પુજારી આ મામલાના આદેશનું ઉલંઘન કરે છે તો મંદિર કમિટી એક્શન લઈ શકે છે. કોઈ પણ ભક્ત પંચામૃત નહીં ચઢાવે. પરંતુ મંદિર દ્વારા પરંપરાગત પુજામાં તેનો ઉપયોગ થઈ શકે છે.
કોર્ટે રુડકી સીબીઆરઆઈને કહ્યું છે કે તે મંદિરના સ્ટ્રક્ચર વિશે પોતાનો રિપોર્ટ રજૂ કરે. ઉજ્જૈનના એસપી અને કલેક્ટરને કહેવામાં આવ્યું છે કે તે મંદિરના 500 મીટરના ઘેરામાં દબાણને હટાવે. હકિકતમાં સુપ્રીમ કોર્ટે આમામલામાં આર્કિયોલોજીકલ કર્વે ઓફ ઈન્ડિયાના એક્સપર્ટ કમિટી પાસે સજેશન માંગ્યા હતા તે કેવી રીતે મંદિરના સ્ટ્રક્ચર અને શિવલિંગના ક્ષરણને રોકવામાં આવે અને શિવલિંગન સંરક્ષિત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચે પોતાના નિર્ણયમાં કહ્યું કે મંદિરની એક્સપર્ટ કમિટિની આદેશ આપ્યો છે કે તે મંદિર વિશે 15 ડિસેમ્બર 2020 સુધી રિપોર્ટ રજુ કરે કે કેવી રીતે તે મંદિરના શિવલિંગને પ્રોટેક્ટ કરી શકાય અને મંદિરના સ્ટ્રક્ચરને સંરક્ષિત કરી શકાય. કોર્ટે કહ્યું કે કમિટી દર વર્ષનો સર્વે રિપોર્ટ રજુ કરે.