બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
Bijal Vyas
Last Updated: 03:22 PM, 18 May 2023
અત્યારના ભાગદોડના જીવનમાં દરેક વ્યક્તિ પોતાની હેલ્થનું ધ્યાન રાખવા ઇચ્છે છે. તેમ છંતા ખાન-પાનની શરીર પર નકારાત્મક અસર થાય છે. હેલ્થનું ધ્યાન રાખવા માટે વિશેષ રીતે હેલ્ધી ફૂડનું સેવન કરવુ પણ જરુરી છે. હાલ આસપાસ જોઇએ તો હૃદયને લગતી બીમારીઓના કેસ વધી રહ્યાં છે. તેમાં પણ તમે જે રોજીંદા જીવનમાં સામાન્ય ગણો છો તે જ વસ્તુનું સેવન તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. તો આવો જાણીએ તે કઇ વસ્તુઓ છે, જેને આપણે ખાવાનુ ટાળવુ જોઇએ...
1. મીઠું- ખાંડઃ મીઠું અને ખાંડ ખૂબ જ વધારે ઉપયોગ કરવાથી હૃદયની ગંભીર બીમારી સુધી પહોંચાડી શકે છે. ઘણી વખત મીઠું અને ખાંડના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સ્થિતિ બની શકે છે.
2. રેડ મીટઃ રેડ મીટના સેવન કરતા હોય તો રોકાઇ જજો, આ હૃદયની ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. રેડ મીટમાં સેચુરેટેડ ફેટ ખૂબ જ માત્રામાં હોય છે, જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
3. બટરઃ જો તમે હૃદયને લગતી બીમારીઓથી બચવા માંગતા હોય તો બટર જેવી વસ્તુનું સેવન કરવાનું ટાળવુ જોઇએ.
4. ફ્રેંચ ફ્રાઇઝઃ ફ્રેંચ ફ્રાઇઝ જો પસંદ કરો છો તો આજથી પોતાની પસંદ બદલી લેજો. કારણ કે ફ્રેંચ ફ્રાઇઝને પસંદ કરવી તમારા હૃદય માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
5. ચિકન ફ્રાયઃ ચિકન ફ્રાયના શોખીન છો તો આ શોખ તમારા હૃદય પર ભારે પડી શકે છે. તેની ખાવાની માત્રામાં ઘટાડો કરવો જોઇએ.
6. સોડાઃ હૃદયને ફિટ રાખવા ઇચ્છો છો તો સોડા પીવાનું છોડી દેજો. સોડા પીનારા લોકોમાં હૃદયની બીમારી થવાનો ભય વધારે રહે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh