ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ''કોઇ અગવડતા નહીં પડે'', ગેસની અછત મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
Last Updated: 11:32 AM, 16 March 2026
ADVERTISEMENT
ગાંધીનગરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ચાલતા સેન્ટરોની મુલાકાત દરમિયાન રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ ગેસની અછત અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યોજના હેઠળ ચાલતા કોઈપણ સેન્ટર પર ગેસની અછત ઉભી નહીં થાય અને શ્રમિકોને ભોજન વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે.
ADVERTISEMENT

LPG ગેસની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઇ હોવાનું કહ્યું
ADVERTISEMENT
મંત્રી બાવળિયાએ જણાવ્યું કે તમામ સેન્ટરો પર પૂરતી LPG ગેસની વ્યવસ્થા ઉપલબ્ધ રાખવામાં આવી છે. ઉપરાંત, જો કોઈ કારણસર ગેસ સપ્લાયમાં વિક્ષેપ થાય તો તેની માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી યોજના સતત ચાલુ રહી શકે.

ADVERTISEMENT
એજન્સીઓના સતત સંપર્ક હોવાની કરી વાત
તેમણે વધુમાં જણાવ્યું કે યોજના અમલમાં મૂકતી એજન્સીઓ સાથે સરકાર સતત સંપર્કમાં છે અને તમામ સેન્ટરો પર કામગીરી સુચારૂ રીતે ચાલે તે માટે નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT

શ્રમિકોને કોઇ અગવડતા નહીં પડેઃ કુંવરજી બાવળિયા
ADVERTISEMENT
મંત્રીના જણાવ્યા મુજબ, બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને આ યોજનાથી લાભ મળે તે સરકારની પ્રાથમિકતા છે અને તેમને ભોજન સંબંધિત કોઈ અગવડતા ન પડે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પોલીસ પર હુમલો, એલઆરડી જવાન સહિત બે કર્મી ઈજાગ્રસ્ત
ADVERTISEMENT
આ ઉપરાંત કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે સિરામિક ઉદ્યોગમાં કામ કરતા કામદારો માટે પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે જેથી તેઓને પણ યોગ્ય સુવિધાઓ અને સહાય મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.