બ્રેકિંગ ન્યુઝ
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ
લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
Priyakant
Last Updated: 08:41 AM, 2 March 2024
Bengaluru Blast : બેંગલુરુમાં શુક્રવારે દિવસે દિવસે થયેલા વિસ્ફોટના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. વાત જાણે એમ છે કે, વ્હાઇટ ફિલ્ડ વિસ્તારમાં આઇટીપીએલ રોડ પર સ્થિત પ્રસિદ્ધ રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટમાં હવે સ્પષ્ટ થઇ ગયું છે કે તે સિલિન્ડર બ્લાસ્ટ નહીં પરંતુ બોમ્બ બ્લાસ્ટ હતો. પોલીસનું કહેવું છે કે, UAPA એક્ટ, 1967 અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હવે આ કેસમાં લેટેસ્ટ અપડેટ એ આવ્યું છે કે, આ બ્લાસ્ટના આરોપીઓ વિશે ઘણી કડીઓ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીની ઉંમર 30થી 35 વર્ષની હોવાનું કહેવાય છે. નવાઈની વાત એ છે કે આ આરોપીએ બ્લાસ્ટ કરતા પહેલા કેફેમાંથી રવા ઈડલીની કુપન પણ લીધી હતી.
સીસીટીવીમાં કેદ થયો આરોપીનો ચહેરો
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આરોપી યુવકે કેફેની પાસે એક ઝાડ પાસે બેગ છોડી દીધી અને બોમ્બ વિસ્ફોટ થયો. તેણે બ્લાસ્ટ માટે ટાઈમર સેટ કર્યું હતું. આ ઓછી તીવ્રતાનો વિસ્ફોટ હતો. તે આવીને બસમાંથી ઉતર્યો. તેનો આખો ચહેરો સીસીટીવીમાં કેદ થયો હોવાનું પણ જાણવા મળે છે. તેને પકડવા માટે 7 થી 8 ટીમો બનાવવામાં આવી છે.
#WATCH | A team of FSL, Bomb Disposal Squad and Dog Squad conducts an investigation at the explosion site at The Rameshwaram Cafe in Bengaluru’s Whitefield area. pic.twitter.com/iJf7rVvcwN
— ANI (@ANI) March 2, 2024
શું કહ્યું CM સિદ્ધારમૈયાએ ?
બેંગલુરુ કેફે બ્લાસ્ટ પર કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ એક ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટ હતો. વધુ વિગતો બહાર આવવા માટે અમારે તપાસની રાહ જોવી પડશે. તેમણે કહ્યું છે કે, આરોપીઓને સજા થશે. આ દરમિયાન કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને રાજ્યના ગૃહમંત્રી જી પરમેશ્વરા ડીજીપી આલોક મોહન સાથે બેંગલુરુ બ્લાસ્ટ સ્થળ પર પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને રાજ્યપાલ રાત્રે લગભગ 9 વાગે ઘાયલોને મળવા હોસ્પિટલ જશે.
વધુ વાંચો: ભાજપના પ્રથમ લિસ્ટમાં હોઇ શકે છે 120 ઉમેદવારો, અનેક દિગ્ગજોના કપાઇ શકે છે પત્તાં
ઇજાગ્રસ્તોની ઓળખ જાહેર
રેસ્ટોરન્ટ બ્લાસ્ટની ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે. તેમની ઓળખ - ફારૂક (19 વર્ષ, હોટેલ સ્ટાફ), દીપાંશુ (23 વર્ષ, એમેઝોન કર્મચારી), સ્વર્ણંબા (49 વર્ષ, 40% શરીર બળી ગયું), મોહન (41 વર્ષ), નાગશ્રી (35 વર્ષ), મોમી (30 વર્ષ)., બલરામ કૃષ્ણન (31 વર્ષ), નવ્યા (25 વર્ષ), શ્રીનિવાસ (67 વર્ષ) હોવાનું સામે આવ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ