બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ભરૂચ બેઠક પર દબદબો રહેશે યથાવત કે આવશે પરિવર્તનની લહેર ? મનસુખ VS ચૈતરની ટક્કર
Last Updated: 06:59 AM, 7 May 2024
ભરૂચ લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપે 6 ટર્મથી ચૂંટાયેલા મનસુખ વસાવાને 7મી વખત મેદાને ઉતાર્યા તો ઈન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી. ભાજપના ઉમેદવારે વિકાસના કાર્યોને લઈ મતદારો સુધી પહોંચ્યા હતા જ્યારે ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ખેડૂતો, સ્થાનિકો અને શિક્ષણની સમસ્યાને લઈ મતદારો સુધી વાત પહોંચાડી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
વસાવા vs વસાવા
ભરૂચ લોકસભા બેઠક 1989માં એહમદ પટેલનો ચંદુભાઈ દેશમુખ સામે પરાજય બાદથી ભાજપના હાથમાં રહી છે. 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. ગુજરાત રાજ્યમાં 26 બેઠક પર કોંગ્રેસ-આપના ગઠબંધનમાં ભાવનગર બાદ ભરૂચ બેઠક આપના ફાળે ગઈ. આમ તો ગઠબંધન પહેલાથી જ આપ પાર્ટીએ ચૂંટણી જંગમાં ચૈતર વસાવા પર દાવ રમવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે ગઠબંધનની સત્તાવાર જાહેરાત વચ્ચે ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બન્યા. તો સામે 6 ટર્મથી જંગી લીડથી જીતતા મનસુખ વસાવા પર ભાજપે નો રિસ્ક સાથે રીપીટની થિયરી અપનાવી.
કોણ છે મનસુખ વસાવા?
મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે. 1989થી આ બેઠક પરથી 6 ટર્મ મનસુખ વસાવા ચૂંટાયા છે. 1998,1999,2004,2009,2014 અને 2019માં ચૂંટાયા છે. ભાજપે મનસુખ વસાવાને 7મી ટર્મ માટે ટિકિટ આપી છે. 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા.
કોણ છે ચૈતર વસાવા?
12 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. પત્ની 2 વખત નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યાં છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠકમાં AAP પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. 55.9 ટકા વોટ સાથે ધારાસભ્ય બન્યા હતા. ભાજપના હિતેશકુમાર વસાવા અને કોંગ્રેસના જેરમાબેન વસાવાને હરાવ્યાં હતાં. ઈન્ડિયા ગઠબંધને ભરૂચ બેઠક પર લોકસભા ટિકિટ આપી હતી.
મતદારોનો ગણિત
આ બેઠક પર 7 વિધાનસભા મત વિસ્તારના સમાવેશ થાય છે. ભરૂચ લોકસભા બેઠક પર કુલ 17.18 લાખ મતદારો છે. જેમાં 8.75 લાખ પુરુષ મતદારો જ્યારે 8.27 લાખ મહિલા અને 83 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ મતદારો ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં 2.96 લાખ જ્યારે સૌથી ઓછો કરજણમાં 2.15 લાખ મતદારો છે. ભારતીય જનતા પાર્ટી હાલ તો આ ભરૂચ લોકસભા બેઠક પર ફકત જીતવવાની નહીં પણ 5 લાખ કરતા વધુની લીડનો આશાવાદ વ્યક્ત કરી રહી છે. તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તાજેતરમાં જ નર્મદાના કમલમ (ભાજપ કાર્યાલય)ના ઉદ્ઘાટન પ્રસંગમાં 6 લાખની લીડનો લક્ષ્યાંક આપી દીધો છે. ત્યારે આપ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચૈતર વસાવા તેમની જીતના આશાવાદ સાથે ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.
ભરૂચ બેઠક પર જીતનો ઈતિહાસ
ગત લોકસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 55.47 ટકા મતો સાથે 6.37 લાખ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને માત્ર 26.40 ટકા સાથે 3.03 લાખ મતો પડ્યા હતા. જે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી કરતા કોંગ્રેસને 10.92 ટકા મતો ઓછા મળ્યા હતા. જ્યારે ત્રીજા ઉમેદવાર છોટુભાઈ વસાવા જેઓ બીટીપીમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. તેમને 12.53% મતો સાથે 1.44 લાખ મતો મળ્યા હતા એટલે કુલ 73.55% એટલે 11.50 લાખના થયેલ મતદાનમાં મનસુખ વસાવા (ભાજપના ઉમેદવાર) 3.34 લાખની લીડ સાથે બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2014ની ચૂંટણીમાં પણ મનસુખ વસાવાએ સારી ટક્કર આપી 1.58 લાખની લીડ મળી હતી. તો 2009માં કોંગ્રેસના સમયમાં પણ 27 હજારની લીડ સાથે આગળ રહ્યા હતા. વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ચર્ચા કરવામાં આવે તો ભરૂચના વર્તમાન સાસંદને ગત ચૂંટણીમાં સૌથી વધુ મત ભરૂચ માંથી 1.13 લાખ જ્યારે સૌથી ઓછા ઝગડીયામાં 77 હજાર મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને સૌથી વધુ જંબુસરમાં 57 હજાર જ્યારે સૌથી ઓછા ઝગડીયામાં 32 હજાર મતો મળ્યા હતા. ગત 4 ટર્મની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ત્રિકોણીય ચૂંટણી જંગ રહ્યો છે જેનાથી ભાજપ-કોંગ્રેસને ઓછી-વત્તા અસર રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
લોકસભા ચૂંટણી 2024 / 'રામ મંદિર પર બુલડોઝર ચલાવતા પહેલા...', અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT