બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shankaracharya of Shardapith praised the Prime Minister
Last Updated: 11:41 AM, 20 January 2024
ADVERTISEMENT
Ayodhya Ram Mandir : રામ નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ તરફ હવે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બધાનીવચ્ચે દેશના ખુણે ખુણેથી સાધુ સંતો અયોધ્યા પહોંચી રહ્યા છે. જેમાં ગુજરાતના મહંતો પણ અયોધ્યા પહોંચ્યા છે. શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સ્વામીએ રામમંદિર અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સૌભાગ્યની વાત છે કે હવે આપણે ભગવાન રામના દર્શન કરી શકીશું.
ADVERTISEMENT
શું કહ્યું શંકરાચાર્ય સ્વામી સદાનંદ સ્વામીએ ?
શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સ્વામીની રામમંદિર અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અનેક સદીઓના સંઘર્ષના બાદ આ અવસર પ્રાપ્ત થયો છે. સૌભાગ્યની વાત છે કે હવે આપણે ભગવાન રામના દર્શન કરી શકીશું. કોઇ પણ સરકારની જવાબદારી છે મોટા આયોજન અંગે વ્યવસ્થા કરવાની છે. આ સાથે તેમને કહ્યું કે, PM મોદીના કાર્યકાળમાં મંદિરનું નિર્માણ પૂર્ણ થયું તે પ્રસન્નતા અને સંતોષનો વિષય છે. તેમણે ઉમેર્યું કે, પરમાત્મા જેને નિમિત્ત બનાવી જે કામ કરાવવા માગે છે તે કરાવી લે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતના મહંતો પણ પહોંચ્યા અયોધ્યા
અયોધ્યામાં 22મીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઇ દેશ રામમય બન્યો છે. આ બધાની વચ્ચે દેશના ખુણે ખુણેથી સાધુ સંતો અયોધ્યા પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાતના મહંતો પણ અયોધ્યા પહોંચ્યા છે. આ તરફ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઇ મહંતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તિમય માહોલમાં ગોંડલના મહંતોએ રામની અનુભૂતિ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.