બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
Priyakant
Last Updated: 08:47 AM, 22 January 2024
ADVERTISEMENT
Ayodhya Ram Mandir : અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા જઈ રહ્યા છે. મંદિરમાં દરરોજ આરતી થશે જેમાં માત્ર પાસ લેનાર લોકો જ હાજરી આપી શકશે. જોકે તમે મંદિરના કાઉન્ટર પરથી પાસ ઑફલાઇન પણ લઈ શકો છો. પરંતુ ખાસ વાત એ છે કે, હવે તમારા માટે ઓનલાઈન પાસ બુક કરાવવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. હા રામ લલ્લા આરતીમાં હાજરી આપવા માટે તમે ઘરે બેઠા ઓનલાઈન પાસ લઈ શકો છો. બુકિંગ સેવા 28 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. જો તમે શ્રી રામ જીની આરતીમાં જવા માંગતા હો તો જાણો કેવી રીતે તમે ઓનલાઈન પાસ બુક કરાવી શકો છો.
દિવસમાં ત્રણ વખત કરવામાં આવશે આરતી
અયોધ્યામાં દિવસમાં ત્રણ વખત ભગવાન રામ લાલાની આરતીનો કાર્યક્રમ યોજાશે. પ્રથમ આરતી સવારે 6.30 કલાકે, બીજી બપોરે 12 કલાકે અને ત્રીજી સાંજે 7.30 કલાકે થશે. આ આરતીમાં ભાગ લેવા માટે ભક્તોએ પાસ મેળવવાનો રહેશે. આરતીના એક સ્લોટમાં માત્ર 30 લોકોને જ એન્ટ્રી મળશે અને પાસ વગરના લોકોને આરતીમાં આવવાની મંજૂરી નથી.
ADVERTISEMENT
આ રીતે ઓનલાઈન પાસ બુક કરો |
|
|
|
|
|
અયોધ્યાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય?
આખું વર્ષ અયોધ્યામાં હવામાન મોટે ભાગે ખુશનુમા રહે છે. ઉનાળા અને શિયાળાની ઋતુની ટોચ પર અવારનવાર ગરમીના મોજા અને ઠંડા પવનો આવે છે. જો કે મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી ડિસેમ્બરનો છે.
અયોધ્યા કેવી રીતે પહોંચવું ?
વિમાન દ્વારા: અયોધ્યાથી ગોરખપુર એરપોર્ટ (GOP)નું અંતર 118 કિમી છે અને અમૌસી એરપોર્ટ (LKO), લખનૌ અયોધ્યાથી 125 કિમી દૂર છે.
ટ્રેન દ્વારા: તમે દેશના અન્ય મોટા શહેરોમાંથી અયોધ્યા માટે નિયમિત ટ્રેન સરળતાથી મેળવી શકો છો. રેલવે સ્ટેશન છે અયોધ્યા જંકશન (AY) અને ફૈઝાબાદ જંક્શન (FD)
સડક માર્ગ દ્વારા: ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ સેવાઓ 24 કલાક ઉપલબ્ધ છે, અને તમામ સ્થળોએ પહોંચવું ખૂબ જ સરળ છે.
વધુ વાંચો: હવે સદૈવ અયોધ્યામાં રાજાની જેમ બિરાજમાન રહેશે રામલલા, તો જૂની મૂર્તિનું શું થશે? જાણો
આ શહેરોથી અયોધ્યાનું અંતર
130 કિમી લખનૌ થી
200 કિ.મી વારાણસી થી
160 કિ.મી અલ્હાબાદથી
140 કિ.મી ગોરખપુરથી
636 કિમી દિલ્હીથી
બસો લખનૌ, દિલ્હી અને ગોરખપુરથી અવારનવાર મળે છે. વારાણસી, અલ્હાબાદ અને અન્ય સ્થળોએથી પણ તેમના સમય પ્રમાણે બસો ઉપલબ્ધ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT