બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / સ્પોર્ટસ / વિશ્વ / Shahid Afridi to visit LoC 'soon' to 'express solidarity with Kashmiri brethren'
Juhi
Last Updated: 06:08 PM, 28 August 2019
પાકિસ્તાનની જનતાને સંબોધિત કરતા ઇમરાન ખાને અપીલ કી હતી કે, ''પાકિસ્તાની લોકો કાશ્મીરની જનતાના સમર્થનમાં આવે અને શુક્રવારના વિરોધ કરો.'' હવે ઇમરાન ખાનના સમર્થનમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી આવ્યો છે.
શાહિદ આફ્રિદીએ બપોરે ટ્વીટ કરતા લખ્યુ કે, ''શુક્રવારે બપોરે 12 વાગ્યે તે મજાર-એ-કેદમાં મોજૂદ રહેશે.'' તેણે કાશ્મીરના લોકો પ્રત્યે હમદર્દી વ્યક્ત કરતા અન્ય લોકોને પણ શામેલ થવા માટે અપીલ કરી છે.
Let’s respond to PM call for Kashmir Hour as a nation. I will be at Mazar e Quaid at 12 pm on Friday. Join me to express solidarity with our Kashmiri brethren.
— Shahid Afridi (@SAfridiOfficial) August 28, 2019
On 6 Sep I will visit home of a Shaheed. I will soon be visiting LOC.
એટલું જ નહીં, શાહિદ આફ્રિદીએ ભારત દ્વારા કરાયેલા કથિત ફાયરિંગમાં PoK માં માર્યા ગયેલા એક વ્યકિતના ઘરની મુલાકાત લેવાની પણ વાત કરી છે. તેણે કહ્યુ કે, જલ્દીથી LOC પર જશે.
I’m with other legends of sports to be visiting Line of Control( LOC), to make my voice heard, bring greater awareness to the terrible situation in Kashmir and call for peace @UN charter. pic.twitter.com/zuRER8W2ll
— Javed Miandad (@ItsJavedMiandad) August 25, 2019
આ સિવાય પાકિસ્તાનના પૂર્વ બેટસમેન જાવેદ મિયાંદાદે વીડિયો ટ્વીટ કરતા કહ્યુ કે, ''તે પણ LOC પર જનારા લોકોની સાથે છે. અમે ત્યાં જઇશું અને શાંતિ માટે પ્રાર્થના કરીશું. અમે ઇચ્છીએ છીએ કે ભારત અને પાકિસ્તાન પોતાના મતભેદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલો.''
તમને જણાવી દઇએ કે, ઇમરાન ખાને જમ્મૂ-કાશ્મીરના મામલા પર પાકિસ્તાની જનતાને સંબોધિત કરી. આ દરમિયાન ઇમરાન ખાને પોતાની જનતાને કહ્યુ કે, ''દર અઠવાડિયે લોકો ઘરથી નીકળો અને કાશ્મીર માટે ચોક્કસથી અવાજ ઉઠાવો.''
પાકિસ્તાની પ્રધાનમંત્રીએ અપીલ કરતા લખ્યુ કે, ''શુક્રવારે લોકો ઘરથી નીકળીને કહે કે અમે કાશ્મીર સાથે ઉભા છીએ.'' ઇમરાન ખાને આ માટે શુક્રવારે બપોરે 12 થી 12.30 વાગ્યાનો સમય જણાવ્યો છે.
કાશ્મીર પર ઘણા વિવાદિત નિવેદન આપી ચૂક્યો છે શાહિદ આફ્રિદી:
ઉલ્લેખનીય છે કે, શાહિક આફ્રિદી પહેલા પણ જમ્મૂ-કાશ્મીરના મામલા પર એવુ નિવેદન આપી ચુક્યો છે કે જેના પર ઘણો વિવાદ થયો છે. પછી તે કાશ્મીર જનતાને લઇને આપેલુ નિવદેન હોય કે પછી કોઇ ટ્વીટ હોય.
ગત વર્ષે લંડનના એક ઇવેન્ટમાં શાહિદ આફ્રિદીએ કહ્યુ કે, ''પાકિસ્તાનને કાશ્મીર નથી જોઇતુ, કેમકે તેમનાથી પોતાના 4 પ્રદેશો નથી સંભાળી શકાતા.'' જોકે આ સાથે જ તેણે કહ્યુ હતુ કે, ''કાશ્મીરને એક આઝાદ મુલ્ક રહેવા દો.''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ