ભારતીય સ્ટેટ બેંક (SBI) ને ફરી એક વખત મેન્ટેનન્સની જરૂર પડી છે. અને જ્યારે પણ મેન્ટેનન્સનું કામ આવે ત્યારે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થાય છે. જેના કારણે ગ્રાહકો SBI ની ડિજિટલ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં.
SBI એ ટ્વિટર પર ઈન્ટરનેટ બેંકિંગ સેવાઓના કામચલાઉ સસ્પેન્શન વિશે માહિતી આપી હતી. જેથી તેના ગ્રાહકો કોઈ પણ સમસ્યા વિના તેમના વ્યવહારોને સુનિશ્ચિત કરી શકે. SBI એ તેના તમામ ગ્રાહકોને વિનંતી કરી છે કે તેઓ બેંક સાથે બહેતર બેન્કિંગ માટે પોતાના અનુભવ શૅર કરવાનો પ્રયાસ કરે.
SBI એ ટ્વિટ કર્યું છે કે ગ્રાહકો 15 સપ્ટેમ્બર રાત્રે 12 વાગ્યાથી 02.00 વાગ્યાની (120 મિનિટ) વચ્ચે તેમની ઇન્ટરનેટ બેન્કિંગ એપ્લિકેશન પર મેન્ટેનન્સની પ્રવૃત્તિ ચાલશે. આ સમયગાળા દરમિયાન SBI ની ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.
અગાઉ, SBI એ ગયા મહિને પણ મેન્ટેનન્સના બ્રેક માટે તેમની સેવાઓ અસ્થાયીરૂપે સ્થગિત કરી હતી.
આ સેવાઓ ચાલુ રહેશે
સામાન્ય રીતે SBI જ્યારે પણ પોતાની બૅંકિંગ સેવાઓના મેન્ટેનન્સને લઈને ટ્વિટ કરી છે ત્યારે તેમાં નેટ બૅંકિંગ ઉપરાત Yono, UPI વગેરે જેવી સેવાઓ પણ પ્રભાવિત થવાની સંભાવના રહેતી હોય છે. પરંતુ આ વખતે બૅંકે ટ્વિટમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે OnlineSBI સેવા જ પ્રભાવિત થશે. આવામાં તેમની UPI, YONO, YONO Lite જેવી બાકીની સેવાઓ પર કોઈ અસર નહીં પડે.
દેશમાં સૌથી વધુ SBIની છે શાખાઓ
State Bank of India ની દેશભરમાં 22000થી વધુ શાખાઓ છે. 31 ડિસેમ્બર 2020ની સ્થિતિ મુજબ બૅંકના ઈન્ટરનેટ બૅંકિંગ ગ્રાહકોની સંખ્યા લગભગ 8.5 કરોડ અને મોબાઈલ બૅંક ગ્રાહકોની સંખ્યા લગભગ 1.9 કરોડ છે. જ્યારે UPI ગ્રાહકોની સંખ્યા લગભગ 13.5 કરોડ છે.