બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / વિશ્વ / sajith premadasa urges pm modi to help sri lanka crisis hit nation

વિનંતી / શ્રીલંકા પાયમાલ થતા ભારતના શરણે આવ્યું, PM મોદીને કહ્યું- 'માતૃભૂમિને બચાવો', જાણો શું માંગી મદદ

Hiren

Last Updated: 02:30 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકામાં ચાલતા ભયંકર આર્થિક સંકટ વચ્ચે વિપક્ષ નેતા સાજિથ પ્રેમદાસાએ PM મોદી પાસે મદદની ગુહાર લગાવી છે.

  • અમારી માતૃભૂમિને બચાવવામાં મદદ કરો પીએમ મોદી: વિપક્ષ નેતા
  • શ્રીલંકામાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ઘેરાયેલું 
  • રાષ્ટ્રીય કટોકટીનો ઉકેલ શોધવા રાષ્ટ્રપતિનું વિરોધ પક્ષોને આમંત્રણ

શ્રીલંકામાં ગંભીર આર્થિક સંકટ વચ્ચે ત્યાંના વિપક્ષોએ ભારત પાસે મદદની અપીલ કરી છે. શ્રીલંકાના વિપક્ષના નેતા સાજિથ પ્રેમદાસાએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે, તેઓ તેમના દેશને "મહત્તમ હદ સુધી" મદદ કરે.

કૃપા કરીને શ્રીલંકાને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરો

જણાવી દઇએ કે, વિદેશી ભંડાર અને ઇંધણ અને ભોજનની ભારે ઉણપ સાથે દેવામાં ડૂબેલો દેશ દાયકાઓમાં પોતાની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. શ્રીલંકામાં વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશ આપ્યો છે કે, કૃપા કરીને શ્રીલંકાને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરો. આ આપણી માતૃભૂમિ છે, આપણે આપણી માતૃભૂમિને બચાવવાની જરૂરિયાત છે.

આ પહેલાં આજે શ્રીલંકાના નેતાએ કેબિનેટના સામૂહિક રાજીનામાને "દેશના લોકોને છેતરવા માટે રચાયેલ મેલોડ્રામા" ગણાવ્યો હતો. આર્થિક કટોકટીથી સર્જાયેલ રાજકીય કટોકટી વચ્ચે, પ્રેમદાસાએ કહ્યું કે, રાજીનામા શ્રીલંકાને રાહત આપવાનો "વાસ્તવિક પ્રયાસ" નથી, પરંતુ "લોકોને મૂર્ખ બનાવવાની કવાયત" છે. પ્રેમદાસાએ દલીલ કરી હતી કે શ્રીલંકા એક "અગ્રણી નક્કર પરિવર્તન" ઇચ્છે છે જે તેના લોકોને રાહત આપે અને રાજકારણીઓને નહીં. તેમણે કહ્યું કે, રાજકારણ એ મ્યુઝિકલ ખુરશીઓની રમત નથી.

રાષ્ટ્રીય કટોકટીનો ઉકેલ શોધવા વિરોધ પક્ષોને એકતા સરકારમાં સામેલ થવાનું રાષ્ટ્રપતિનું આમંત્રણ

દરમિયાન, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ રાષ્ટ્રીય કટોકટીનો ઉકેલ શોધવા માટે વિરોધ પક્ષોને એકતા સરકારમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. તમામ રાજકીય પક્ષોને લખેલા પત્રમાં રાજપક્ષેએ વર્તમાન કટોકટી માટે "બહુવિધ આર્થિક અને વૈશ્વિક પરિબળો"ને જવાબદાર ઠેરવ્યા છે. તેઓએ તમામ રાજકીય પક્ષોને આમંત્રણ મોકલ્યા છે અને તેમને મંત્રી પદ સંભાળવા વિનંતી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ