બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Saint Kashmiri Bapu of Girnar samadhi today

અલખ આરાધક / જય ગિરનારી! કાશ્મીરી બાપુના અંતિમ દર્શને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ભક્તો, જાણો આજે કેટલા વાગે અપાશે સમાધિ

Kavan

Last Updated: 12:57 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાની આકરા તપ અને લોકસેવા માટે જાણીતા જૂનાગઢમાં કાશ્મીરી બાપુ ગઈકાલે બ્રહ્મલીન થયા છે. ત્યારે આજે બપોરે 3 કલાકે તેમને સમાધિ આપવામાં આવશે.

  • ગિરનારી સંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન
  • આજે કાશ્મીરી બાપુને સમાધિ અપાશે
  • અંતિમ દર્શનાર્થે પહોંચી રહ્યાં છે ભક્તો

તપસાધનાની વિશ્વફલક પર ગિરનારની તપોભૂમિને પહોંચાડનાર કાશ્મીરી બાપુ 10 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર બાદ આશ્રમ લઇ જવાયા હતા જોકે, ગઈકાલે તેમણે દેહત્યાગ કર્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં જ ભક્તો અને અનુયાયીઓમાં દુખનું મોજું ફરી વળ્યું છે અને પાર્થિવ દેહના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. 

બપોરે 3 વાગે આપવામાં આવશે સમાધિ 

દાતારેશ્વર મહાદેવ મંદિરના મહંત અને નિરંજન અખાડાના સંત શિરોમણીની વિદાયથી સમગ્ર પંથકના લોકો આશ્રમ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. કાશ્મીરી બાપુની આવતીકાલે બપોરે 3 વાગ્યે અંતિમવિધિ કરવામાં આવશે. હાલ આશ્રમ ખાતે બાપુના દર્શન કરવા સેવકોની લાગી લાંબી કતારો લાગી રહી છે.

97 વર્ષની વયે કાશ્મીરી બાપુ દેવલોક પામ્યા 

પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે.સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સહિત ગુજરાત ભરમાંથી કાશ્મીરી બાપુને સોશિયલ મીડિયા થકી પણ શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે.

સાંસદ પૂનમબેન માડમે કરી પ્રાર્થના

તપસાધનાની વિશ્વફલક પર ગિરનારની તપોભૂમિને પહોંચાડનાર, ભવનાથમાં આવેલ નિરંજન અખાડાના સંત શિરોમણી શ્રી કાશ્મીરી બાપુ આપજે અનંતની સફર પર સિધાયાના સમાચાર અત્યંત દુઃખદ છે. ઈશ્વર સદગતના આત્માને શાંતી અર્પે એજ પ્રાર્થના.

સાંસદ રમેશ ધડૂકે દૂ:ખ વ્યક્ત કર્યું

જૂનાગઢના ભવનાથમાં આવેલ નિરંજન અખાડાના સંત શિરોમણી પૂજય શ્રી કાશ્મીરીબાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકની લાગણી અનુભવું છું. ઈશ્વર સદગતના આત્માને શ્રી ચરણોમાં સ્થાન અર્પે એજ પ્રાર્થના. .

સાંસદ રાજેશ ચુડાસમાએ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ

ગિરનારની તપોભૂમિના મહાન સંત પરમ પૂજ્ય શ્રી કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયાના સમાચાર ખુબ જ દુઃખદ છે,પરમકૃપાળુ પરમાત્મા સંત શિરોમણી શ્રી કાશ્મીરીબાપુનાં દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન તથા શાંતિ અર્પે એવી પ્રાર્થના.મહાન વિભૂતિ પરમ પૂજ્ય બાપુને કોટિ કોટિ પ્રણામ.જય ગિરનારી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ