બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન ઘરે પાછા આવી ગયાં છે. સોમવારે જ્યારે તેમની હોસ્પિટલમાં દાખલ થવાની ખબર મળી હતી ત્યારે ફેંસ ચિંતિત થયાં હતાં. નવાબ સૈફ અલી ખાન 'દેવરા' ફિલ્મની શૂટિંગ દરમિયાન ઘાયલ થયાં હતાં. આ ઈજાને તેમણે પહેલાં હળવાશમાં લીધી હતી પણ પછી દુખાવો વધતો ગયો અને તેમને સમજાયું કે આ વધુ નુક્સાનકારક પણ હોઈ શકે છે. તેમણે હાલમાં ખુલાસો કર્યો કે આ ઈજાનાં લીધે તેઓ પોતાનો એક હાથ ઘુમાવી શકતાં હતાં..
ADVERTISEMENT
સૈફ અલી ખાને હોસ્પિટલથી પાછા ફરતાં ખુલાસો કર્યો કે તેમને માત્ર હાથમાં જ ઈજા થઈ હતી. તેમની પીઠ કે ખભાની કોઈ સર્જરી નથી કરવામાં આવી. એક્ટરે જણાવ્યું કે આખરે કેવી રીતે આ ઘટના બની.
'પહેલા લાગ્યું બધું બરાબર છે'
તેમણે ઈંટરવ્યૂમાં જણાવ્યું કે મને ટ્રાઈસેપ પર ઈજા થઈ હતી. ઘણાં સમયથી મને દુખાવો થઈ રહ્યો હતો. ક્યારેક ઓછું દુખતું હતું અને ક્યારેક દુખાવો વધી જતો હતો. તેમણે કહ્યું કે આ ઈજા એટલી ગંભીર હશે મને અંદાજો જ નહોતો. ફિલ્મ દેવારા માટે એક એક્શન સિક્વેંસ કરતાં તેમને આ ઈજા થઈ હતી. ત્યારે તેમને લાગ્યું કે બધું બરાબર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ટ્રાઈસેપ ટેંડન ફાટી ચૂક્યું છે
તેમણે કહ્યું કે જ્યારે હું એકવાર વર્કઆઉટ કરી રહ્યો હતો તો દુખાવો વધી ગયો. પણ પછી દુખાવો ઠીક થઈ ગયો. હું જ્યારે કોઈ જોર લગાડવાવાળું કામ કરતો હતો ત્યારે દુખાવો થતો હતો. તેથી મેં MRI કરાવવાનું વિચાર્યું. MRI રિપોર્ટમાં સામે આવ્યું કે ટ્રાઈસેપ ટેંડન ફાટી ચૂક્યું છે. તેમણે કહ્યું કે જ્યારે સર્જિકલ પ્રોસેસ શરૂ થઈ ત્યારે સમજાયું કે સર્જરીની જરૂર છે કારણકે જ્યાં ઈજા થઈ હતી ત્યાં ઘણો મોટો કટ લાગ્યો હતો. એક્ટરે કહ્યું કે જો સમયસર સર્જરી ન થઈ હોત તો એક હાથ ઘુમાવવો પણ પડ્યો હોત.
ADVERTISEMENT
વધુ વાંચો: Instagram Reels પર વ્યૂઝ વધારવા આટલું કરો! ઝટઝટ વાયરલ થઈ જશો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.