બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / sahara refund portal launched to help crores of sahara india depositors get refund amit shah
Hiralal
Last Updated: 04:32 PM, 18 July 2023
જે લોકોના પૈસા સહારા ઈન્ડિયામાં ફસાયેલા છે તેમના માટે આજે ગુડ ન્યૂઝ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સહારાના રોકાણકારોને આજે મોટી રાહત આપી હતી. તેમણે રોકાણકારોને 10 હજાર રૂપિયા સુધીનું તાત્કાલિક રિફંડ મળી રહે તે માટે સહારા રિફંડ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલની મદદથી સહારા ગ્રુપની કોઓપરેટિવમાં જમા થયેલા કરોડો રોકાણકારોના પૈસા 45 દિવસમાં પરત કરવામાં આવશે.
सहारा की सहकारी समितियों में जिन लोगों के रुपये कई सालों से डूबे हुए थे, उसे लौटाने की प्रक्रिया शुरू कर दी गई है। “सहारा रिफंड पोर्टल” के शुभारंभ कार्यक्रम से लाइव… https://t.co/TBmAukHaio
— Amit Shah (@AmitShah) July 18, 2023
કોઈ પૈસા નહીં રોકી શકે, 45 દિવસમાં મળશે પાછા- અમિત શાહ
અમિત શાહે સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કરતી વખતે તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે આવા કિસ્સામાં થાપણદારોને તેમના નાણાં પાછા મળી રહ્યા છે. અમિત શાહે થાપણદારોને ખાતરી આપી હતી કે હવે તેમના પૈસા કોઈ રોકી નહીં શકે અને પોર્ટલ પર નોંધણી કરાવ્યાના 45 દિવસની અંદર તેમને તેમના નાણાં રિફંડ મળી જશે. અમિત શાહે કહ્યું કે 5000 કરોડમાંથી 1.7 કરોડ રોકાણકારોને પૈસા આપવામાં મદદ મળશે. સહારા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ શરૂઆતમાં થાપણદારોને 10000 રુપિયા તરત મળી જશે અને જેમણે આનાથી વધુ રોકાણ કર્યું છે, તેમની રિફંડની રકમમાં વધારો કરવામાં આવશે.
કેવી રીતે મળશે રિફંડ?
- સહારા થાપણદારોએ તેમનું રિફંડ પાછું મેળવવા માટે https://cooperation.gov.in પર ક્લિક કરવું પડશે અને સહારા રિફંડ પોર્ટલ પર જવું પડશે.
રોકાણકારે સૌ પ્રથમ સહારા રિફંડ પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે.
- આ સહકારી મંડળીમાં નાણાં જમા કરાવ્યા હોવાનો દાવો કરતા થાપણદારોની સાચી ઓળખ સુનિશ્ચિત કરવા માટે આઇએફસીઆઈની પેટાકંપની દ્વારા પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે.
- સહારા રિફંડ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા અને રિફંડ પાછું મેળવવા માટે રોકાણકાર પાસે મોબાઇલ ફોન નંબર અને આધાર હોવો જરૂરી છે.
આધાર સાથે જોડાયેલું બેંક ખાતું હોવું પણ જરૂરી છે.
- આ બેન્ક એકાઉન્ટમાં વેરિફાઈ કર્યા બાદ રોકાણકારોને પૈસા પરત કરી દેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો