બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા પરષોત્તમ રૂપાલા, ગેનીબેન સહિત આ દિગ્ગજો પહોંચ્યા ભગવાનના શરણે, કર્યો જીતનો દાવો

લોકસભા ચૂંટણી 2024 / લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા પરષોત્તમ રૂપાલા, ગેનીબેન સહિત આ દિગ્ગજો પહોંચ્યા ભગવાનના શરણે, કર્યો જીતનો દાવો

Priykant Shrimali

Last Updated: 08:17 AM, 4 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : ગુજરાતની 25 બેઠકો સહિત દેશની 543 બેઠકોનું પરિણામ, સૌથી સટિક, સચોટ અને સૌથી પહેલા જનાદેશ માટે VTV NEWSનું મહાકવરેજ

Lok Sabha Election 2024 : લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ તરફ આજે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાતાળેશ્વરના મહાદેવના દર્શન કરી મતગણતરી સ્થળે પહોંચ્યા હતા. આ સાથે સાબરકાંઠાના ભાજપના ઉમેદવારે શામળાજીમાં દર્શન કર્યા હતા. આ તરફ રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ મહાદેવના દર્શન કર્યા હતા. આ સાથે તેમણે કાલાવાડ રોડ પરના ચમત્કારી હનુમાનજીના પણ દર્શન કર્યા હતા.

બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાતાળેશ્વરના મહાદેવના દર્શન કરી મતગણતરી સ્થળે પહોંચ્યા છે. મહત્વનું છે કે, મતગણતરીના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા મત ગણતરી યોજાઈ રહી છે. ગેનીબેન ઠાકોરે કહ્યુ કે, બનાસકાંઠાની જનતાએ ખૂબ સારું મતદાન કર્યું છે, દેશનું ભવિષ્ય નક્કી કરવા મતદાન કર્યું છે. પરિણામ ને લઇ આશાવાદી છીએ. આ સાથે તેમણે ઉમેર્યું કે, દેશમાં INDIA ગઠબંધનની સરકાર બનશે. ભારતીય જનતા પાર્ટીની જેમ 5 લાખનાં દાવા નથી કરતા પણ બનાસકાંઠાની જનતા અમારી સાથે છે.

સાબરકાંઠાના ભાજપના ઉમેદવારે શામળાજીમાં કર્યા દર્શન

લોકસભા ચૂંટણીનું આજે પરિણામ છે ત્યારે સાબરકાંઠાના ભાજપના ઉમેદવારે શામળાજીમાં દર્શન કર્યા છે. આજે શોભનાબેન બારૈયાએ ભગવાન શામળીયાના આશીર્વાદ લીધા બાદ તેમણે સાબરકાંઠામાં ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, ત્રીજી વખત કેન્દ્રમાં મોદી સરકાર બનશે.

વધુ વાંચો : ગુજરાતની 25 લોકસભા અને 5 વિધાનસભા મતગણતરીની શરૂઆત, થોડીવારમાં આવશે વલણ

પરશોતમ રૂપાલાએ કર્યા મહાદેવના દર્શન

આ તરફ રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ મહાદેવના દર્શન કર્યા હતા. આ સાથે કાલાવાડ રોડ પરના ચમત્કારી હનુમાનજીના પણ દર્શન કર્યા હતા. પરશોતમ રૂપાલા ભગવાન શિવને જળાભિષેક કર્યો અને ભગવાનને જળાભિષેક કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election Results 2024 LIVE Lok Sabha Election2024 Results Lok Sabha Election 2024
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ