આરબીઆઈનો અંદાજ છે કે દેશનો જીડીપી સકારાત્મક વિકાસ દર હાંસલ કરવાની નજીક પહોંચ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષ 2020-21 માં ભારતીય અર્થતંત્રમાં 7.7 ટકાના ઘટાડાનું અનુમાન
વ્યાપક આર્થિક ક્ષેત્રમાં તાજેતરના સુધારાને કારણે અર્થતંત્રનું કુલ ચિત્ર ફૂલગુલાબી બન્યું
ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમસિક એપ્રિલ-જૂનમાં અર્થવ્યવ્યવસ્થામાં 23.9 ટકાનો જોરદાર ઘટાડો નોંધાયો હતો.
આરબીઆઈએ જાન્યુઆરીના બુલેટિનમાં અર્થતંત્રની સ્થિતિ નામના લેખમાં કહ્યું કે, 2021 કેવું રહેશે, વી આકારનું હશે. વી અર્થાત વેક્સિન છે. આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર માઈકલ દેવવ્રત પાત્રા તથા બીજા દ્વારા લખાયેલ લેખમાં જણાવાયું છે કે વી આકારના સુધારામાં વી નો અર્થ વેકિસન એવો થાય છે.
ભારતની પાસે પોલિયો અને શીતળાના રોગની રસીકરણનો પણ અનુભવ
ભારત સરકારે લોકોને કોવિડ-19 મહામારીની સામે રક્ષણ આપવા માટે દુનિયાની સૌથી મોટી રસીકરણની ઝૂંબેશ શરૃ કરી છે. લેખમાં કહેવાયું કે ભારતની પાસે પોલિયો અને શીતળાના રોગની સામેના રસીકરણનો પણ અનુભવ છે.
લેખમાં કહેવાયું કે ભારતની સ્થિતિને ઉગારવામાં ઈ કોમર્સ અને ડિઝિટલ ટેકનોલોજીની ખૂબ મોટી ભૂમિકા હશે.જોકે મહામારી પહેલાનું ઉત્પાદન સ્તર અને રોજગારી હાંસલ કરવામાં હજુ થોડો વધારે સમય લાગશે. વ્યાપક આર્થિક ક્ષેત્રમાં તાજેતરના સુધારાને કારણે અર્થતંત્રનું કુલ ચિત્ર ફૂલગુલાબી બન્યું છે અને જીડીપીનો વૃદ્ધિ દર પોઝિટીવ થવાની નજીકમાં છે. તેની સાથે ફૂગાવાનો દર પણ ઘટીને લક્ષ્યાંક નજીક આવી રહ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષ 2020-21 માં ભારતીય અર્થતંત્રમાં 7.7 ટકાના ઘટાડાનું અનુમાન
સરકારી અનુમાન અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ 2020-21 માં ભારતીય અર્થતંત્રમાં 7.7 ટકાના ઘટાડાનું અનુમાન છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમસિક એપ્રિલ-જૂનમાં અર્થવ્યવ્યવસ્થામાં 23.9 ટકાનો જોરદાર ઘટાડો નોંધાયો હતો. બીજા જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થા 7.5 ટકાથી નીચે આવી હતી.
લેખમાં એવું પણ કહેવાયું છે કે સિઝન પૂર્ણ થતા પહેલા રવી પાકનું વાવેતર ક્ષેત્ર સામાન્ય કરતા વધારે થયું છે. તેથી 2021 માં કૃષિ ઉત્પાદન બંપર રહેવાની આશા છે. તેમાં કહેવાયું કે ભારત વેક્સિન નિર્માણની વૈશ્વિક રાજધાની છે. તેથી વૈશ્વિક સ્તરે રસીકરણ શરૃ થતા પહેલા ભારતની ફાર્માસ્યુટિકલ નિકાશ રોકેટ ગતિએ આગળ વધશે. ઉત્પાદન સંબંધિત યોજનાઓ હેઠળ કૃષિ નિકાસ પણ ટકાઉ ક્ષમતા દેખાડી રહી છે.