બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Manisha Jogi
Last Updated: 08:29 PM, 24 November 2023
વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર પછી ક્રિકેટ રસિકો ખૂબ જ દુ:ખી છે. ભારતીય ટીમે ફાઇનલમાં ક્યાં ભૂલ કરી તેના પર ક્રિકેટ રસિકોને વિશ્વાસ નથી થઈ રહ્યો. ભારતીય સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને આ હાર બાબતે નિવેદન આપ્યું છે કે, ભારતીય કેપ્ટન રોહિત શર્માથી ક્યાં ચૂક થઈ છે.
રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર સાથે મુલાકાત કરી
વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ કહ્યું કે, જો તેણે ટોસ જીત્યો હોત તો તેણે પહેલા બેટીંગ કરી હોત. પેટ કમિન્સે પ્રથમ બોલિંગ કરવાના નિર્ણયથી તમામ લોકોને ચોંકાવી દીધા હતા. અટકળો લગાવવામાં આવી રહી હતી કે, જે પણ ટીમ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરશે, પેટ કમિન્સે આ ફોર્મ્યુલા બદલી નાખ્યો. રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર રોહિત શર્માની ક્યાં ભૂલ થઈ તે અંગે જણાવ્યું છે.
જ્યોર્જ બેલીનું નિવેદન
રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર જ્યોર્જ બેલી સાથે મુલાકાત કરી હતી. રવિચંદ્રન અશ્વિને જ્યોર્જ બેલીને પૂછ્યું કે, તેણે હંમેશાની જેમ ટોસ જીત્યા પછી પહેલા બેટીંગ કેમ ન કરી, જે અંગે બેલીએ કહ્યું કે, અમે અહીં પહેલા ઘણી મેચ રમી ચૂક્યા છીએ. અમે આ સ્ટેડિયમ પર IPL પણ રમી છે. આ પીચ કાળી માટીની છે, જે તૂટતી નથી. આ પીચ પર બપોરે સારો ટર્ન મળે છે અને જેમ જેમ સાંજ પડે છે તેમ પીચ બદલાવા લાગે છે. આ કારણોસર અમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
રોહિત શર્મા પીચ ઓળખી ના શક્યા
રવિચંદ્રન અશ્વિને વાતવાતમાં જણાવ્યું કે, રોહિત શર્માએ પહેલાથી જ વિચારી લીધું હતું કે, જો પહેલા બેટિંગ કરીશું તો કેવી રીતે રમવું જોઈએ. રોહિત શર્માએ વિચાર્યું કે પહેલા બેટિંગ કરવી સરળ હશે અને અમે સારો સ્કોર કરીશું, પરંતુ એવું થયું નહીં. જો રોહિત શર્માએ પિચને અગાઉથી સારી રહેશે. આ પીચ ઓળખી લીધી હોત તો પહેલા બેટિંગ કરતા સમયે સતર્ક રહ્યા હોત અને સાવધાનીપૂર્વક રમી શક્યા હોત.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો