બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Parth
Last Updated: 01:42 PM, 18 March 2020
પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ કોરોના વાયરસને લઈને બફાટ કર્યો છે. રાજાનો દાવો છે કે ઇંગ્લેન્ડનાં એલેક્સ હેલ્સમાં કોરોના વાયરસનાં લક્ષણો જોવા મળ્યા છે અને તે પાકિસ્તાનથી પોતાના દેશ પરત ફર્યા તે પહેલા દેશમાં કોરોના વાયરસ ફેલાઈને ગયો.
Karachi Kings Alex Hales suspecting Coronavirus and his tests are underway. All broadcasters and commentators are having COVID-19 tests.#Pakistan #Cricket #PCB @TheRealPCB #PSL @thePSLt20 #RamizRaja #Coronavirus #COVID19 #AlexHales #KarachiKings #PSL5 #PSL2020 #HBLPSL2020 pic.twitter.com/rg2asDA2B9
— News99 (@News99P) March 17, 2020
નોંધનીય છે કે કોરોના વાયરસનાં કારણે પાકિસ્તાન સુપર લીગ સ્થગિત કરવામાં આવી છે જે બાદ પૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર રમીઝ રાજાનું મોટું નિવેદન સામે આવ્યું છે. રમીઝ રાજાનો દાવો છે કે ઇંગ્લેન્ડનાં એક ખેલાડીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાથી જ લીગ ટાળવી પડી છે. આ ખેલાડી કરાચી કિંગ્સ તરફથી રમતો હતો. કોરોના વાયરસનાં પ્રકોપ બાદ આ બધા જ ખેલાડી સ્વદેશ પરત ફર્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે તે ખેલાડીને લંડનમાં આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. રમીઝે વધુમાં કહ્યું હતું કે હેલ્સમાં કોરોના વાયરસનાં લક્ષણ છે કે નહીં તે તપાસનો વિષય છે પરંતુ હવે આપણે બધાએ સતર્ક રહેવું પડશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ વસીમ ખાને સ્વીકાર કર્યો કે વિદેશી ખેલાડીઓમાં એક ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત છે પરંતુ તે હાલ પાકિસ્તાનમાં નથી. વિદેશી ખેલાડીમાં કોરોના વાયરસનાં કારણે હવે પીએસએલનાં બધા જ ખેલાડી અને આયોજકોમાં કોરોના વાયરસની તપાસ હાથ ધરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT