બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શું છે આ સફેદ અનાજ? જેમાં રહેલા ગુણો તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરશે

હેલ્થ / શું છે આ સફેદ અનાજ? જેમાં રહેલા ગુણો તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરશે

Last Updated: 10:46 AM, 5 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ સફેદ દાણાને સુપરફૂડ કહેવામાં આવે છે. કેલ્શિયમ ઉપરાંત, ફાઇબર, પ્રોટીન, આયર્ન, ફૉસ્ફરસ, મેગ્નેશિયમ , ફોલેટ, પોટેશિયમ, વિટામિન સી જેવા પોષક તત્વો રાજગરામાં જોવા મળે છે. તો ચાલો જાણીએ શું છે આના ફાયદા.

જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તમારે હાડકાં મજબૂત રાખવા પડશે. આ માટે એ જરૂરી છે કે, એક્સરસાઇઝની સાથે તમે હેલ્ધી ડાયટ લો જેમાં કેલ્શિયમ ભરપૂર હોય. કેલ્શિયમ એ એક પોષક તત્વ છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે તમે જોયું જ હશે કે લોકો કેલ્શિયમ માટે દૂધ, દહીં અને ચીઝ જેવી વસ્તુઓ ખાય છે. આ એક રીતે સાચું છે, પરંતુ શું તમે જાણો છો કે રાજગરામાં કેલ્શિયમની માત્રા દૂધ અને દહીં કરતાં ઘણી વધારે હોય છે.

રાજગરા પોષક તત્વોનો ખજાનો છે

100 ગ્રામ રાજગરામાં લગભગ 159 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. આ જ કારણ છે કે, હાડકાંને મજબૂત રાખવા માટે રાજગરાનું સેવન રોજ ઉપયોગમાં લેવું જોઈએ. દૂધ અને દહીં કેલ્શિયમના મુખ્ય સ્ત્રોત છે, પરંતુ રાજગરામાં રહેલા તત્વો શરીર પર ઝડપથી અસર કરે છે. રાજગરામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. કેલ્શિયમની સાથે-સાથે મેગ્નેશિયમ અને ફૉસ્ફરસ પણ હાડકાંના સ્વાસ્થ્યને મજબૂત કરવામાં મદદ કરે છે. આ પોષક તત્વોની મદદથી હાડકાંમાં વૃદ્ધિ જોવા મળે છે.

વધુ વાંચો વધારે માત્રામાં ઘઉં ખાવાની આદત હોય તો જરા સાઇડ ઇફેક્ટ્સ પણ જોઇ લેજો, હેલ્થને થઇ શકે છે નુકસાન

ઓસ્ટીયોપોરોસીસથી આપે છે 'રાહત'

જો તમે દરરોજ તમારા આહારમાં રાજગરાનો સમાવેશ કરો છો, તો તે ફક્ત તમારા હાડકાંને જ મજબૂત નથી બનાવતું, પરંતુ તે ઑસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર સમસ્યાઓથી પણ આપણને બચાવે છે.

સંધિવાના દર્દીઓએ માટે 'રાજગરા'ની અસર

રાજગરામાં રહેલ એન્ટિ- ઇન્ફલેમેટરી ગુણ સાંધાના દુખાવા અને સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. જે આર્થરાઈટીસના દર્દીઓને રાહત આપે છે. તમે તેને દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકો છો.

આ લોકો માટે 'રાજગરા' જરૂરી છે

રાજગરા બાળકો અને વૃદ્ધો બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે બંનેને કેલ્શિયમની વધુ જરૂર હોય છે. જેમના હાડકાં નબળાં હોય અથવા હાડકાં સંબંધિત સમસ્યા હોય તેઓ રાજગરાનું સેવન કરી શકે છે. જેમને દૂધ અને ડેરી ઉત્પાદનની એલર્જી હોય તેઓ પણ રાજગરામાંથી કેલ્શિયમ સપ્લાય કરી શકે છે.

  1. તમારા આહારમાં રાજગરાને આ રીતે સામેલ કરો
  2. રાજગરાના લોટને ઘઉંના લોટમાં ભેળવીને રોટલી બનાવો
  3. તમે રાજગરાના લોટ અને ગોળથી પણ લાડુ બનાવી શકો છો.
  4. તમે રાજગરાને દૂધમાં ભેળવીને પણ ખીર બનાવી શકો છો.
  5. રાજગરામાંથી બનાવેલ લાવા પણ તમે ચા સાથે લઈ શકો છો.

    બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news Health news bones strong
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ