બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / rajasthan alwar bulldozers action claim of demolition of 300 years old temple
Dhruv
Last Updated: 02:06 PM, 22 April 2022
તાજેતરમાં જ UP, MP અને દિલ્હીમાં તંત્રએ ચલાવેલા બુલડોઝર બાદ સમગ્ર દેશમાં બુલડોઝરે ભારે ચર્ચા જગાવી છે. દિલ્હીની જહાંગીરપુરી હિંસામાં કરાયેલી બુલડોઝરની કાર્યવાહીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ત્યારે હવે રાજસ્થાનના અલવરમાં નગરપાલિકા દ્વારા બુલડોઝર દ્વારા કાર્યવાહી કર્યાનો મામલો સામે આવ્યો છે. સરકારે અહીં 300 વર્ષ જૂના મંદિરો પર બુલડોઝર ચલાવી દીધું છે.
अलवर में शिवलिंग को ड्रिल से तुड़वा रहे हो @ashokgehlot51 जी ?
— Laxmikant bhardwaj (@lkantbhardwaj) April 22, 2022
आपमें और औरंगजेब में कोई अंतर है ? pic.twitter.com/0ED9Eq2vqa
માસ્ટર પ્લાનના નામ પર ચલાવ્યું બુલડોઝર
મળતી માહિતી અનુસાર, અલવર જિલ્લાના રાજગઢમાં માસ્ટર પ્લાનના નામે પ્રાચીન ઈમારતો અને દુકાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. કાર્યવાહી કરનારા અધિકારીઓએ વિકાસના નામે મંદિરોને પણ તોડી પાડ્યા હતા. બુલડોઝરની કાર્યવાહીથી રાજગઢ નગરનો મુખ્ય માર્ગ ખંડેર બની ગયો હતો. ઇમારતો અને દુકાનોને કોઈ પણ વળતર વિના તોડી પાડવામાં આવી છે.
300 વર્ષ જૂનું શિવલિંગ તોડી પડાયું
વહીવટીતંત્રની કાર્યવાહીના કારણે મંદિરની મૂર્તિઓ ખંડેર થઈ ગઈ છે. આ દરમિયાન ડ્રીલ સાથે તોડવામાં આવેલ 300 વર્ષ જૂનું શિવલિંગ પણ તૂટી ગયું હતું. લોકોનો એવો આરોપ છે કે વિકાસના નામે ષડયંત્ર હેઠળ મંદિરો તોડવામાં આવી રહ્યાં છે.
बुल्डोज़र तुझसे बैर नहीं………
— Hirendra Kaushik (@hirendrakaushik) April 22, 2022
गहलोत तेरी ख़ैर नहीं……. pic.twitter.com/zXN3or12rN
ભાજપે કર્યો હતો ઉગ્ર વિરોધ
અલવરમાં થયેલી કાર્યવાહી બાદ બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. તેઓએ ટ્વિટ કર્યું છે કે, 'અલવરમાં 300 વર્ષ જૂના શિવ મંદિરને તોડી પાડવું એ રાજસ્થાનની કોંગ્રેસ સરકારની ધર્મ વિરોધી માનસિકતા દર્શાવે છે. મુખ્યમંત્રી, તમે આ બુલડોઝરનો ઉપયોગ તોફાનીઓ અને ગુનેગારો સામે પગલાં લેવા માટે કર્યો હોત તો સારું થાત.'
ભાજપે મંદિર તોડાવ્યું: કોંગ્રેસ સરકારના મંત્રી પ્રતાપ સિંહ
રાજસ્થાનના મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસનું કહેવું છે કે, ભાજપ ખોટું બોલી રહી છે. રાજગઢ અર્બન બોડીઝ બોર્ડના ચેરમેન ભાજપના છે. તેમણે બોર્ડમાં દરખાસ્ત લાવીને મંદિરો અને મકાનોને રસ્તા પહોળા કરવા માટે તોડી પાડ્યા છે. તેમના કહેવાથી મંદિર તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે અમારા કોંગ્રેસના ધારાસભ્ય વિરોધ કરતા રહ્યાં. ગેહલોત સરકારના મંત્રીએ વચન આપ્યું છે કે, જો કોઈ કાયદાકીય અવરોધ નહીં આવે તો મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે.
जहाँगीरपूरी में पत्थरबाज जेहादियों के अवैध निर्माण पर बुलडोजर चलाने पर दहाड़ मार कर रोने वाली कांग्रेस ने राजस्थान के अलवर में 300 साल पुराना शिवमंदिर बुलडोजर से तुड़वा दिया pic.twitter.com/QopR0PCEqn
— Laxmikant bhardwaj (@lkantbhardwaj) April 22, 2022
સરકારનો ઈરાદો સ્પષ્ટ નથીઃ સતીશ પુનિયા
બીજી તરફ રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું કે, સરકારે તેનો રસ્તો કાઢીને મંદિરને બચાવવું જોઈતું હતું. કરૌલીની આ ઘટના બાદ સરકારનો ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરીને પોતાની વોટ બેંકને ખુશ કરવા માંગે છે, આથી જ 300 વર્ષ જૂના મંદિરને તોડી પાડવામાં આવ્યું.
જાણો શું છે સમગ્ર મામલો?
જણાવી દઇએ કે, અલવરના રાજગઢમાં ત્રણ હિન્દુ મંદિરો તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે. માસ્ટર પ્લાનમાં અતિક્રમણની આડમાં રાજગઢ પ્રશાસને 300 વર્ષ જૂના ત્રણ મંદિરો તોડી પાડ્યા હતા. આ મંદિરોમાં સ્થાપિત ભગવાન શિવ, હનુમાનજી સહિત અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડેર થઈ હતી. જ્યારે સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો તો પોલીસે બળજબરીથી તેઓને હટાવી દીધાં. આ સમગ્ર ઘટના સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. 17 એપ્રિલથી સતત રાજગઢમાં આવાં કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો