બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / PM મોદી પર દબાણ કરવું અમેરિકા માટે નુકસાનકારક સાબિત થશે, પુતિનનું ડોનાલ્ડ ટ્રમ્પને અલ્ટીમેટમ
Last Updated: 01:13 AM, 5 June 2026
આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મંચ પર ભારતની મજબૂત વિદેશ નીતિનો ડંકો ફરી એકવાર વાગ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દેશની વિદેશ નીતિની મુક્તકંઠે પ્રશંસા કરી છે. રશિયા સાથેના સંબંધો અને ખાસ કરીને ક્રૂડ ઓઈલ (કાચા તેલ) ની ખરીદીને લઈને અમેરિકા દ્વારા પીએમ મોદી પર જે દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેને પુતિને આંતરરાષ્ટ્રીય સંબંધો માટે અત્યંત નુકસાનકારક અને આત્મઘાતી ગણાવ્યો છે.
ADVERTISEMENT

સેન્ટ પીટર્સબર્ગ ખાતે ગુરુવારે દુનિયાભરની અગ્રણી સમાચાર એજન્સીઓના વડાઓ સાથે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં પુતિને ભારત અને રશિયાના જૂના અને અતૂટ સંબંધો પર વિગતવાર વાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતને રશિયાનો સૌથી વધુ 'ભરોસાપાત્ર અને સાચો સાથી' ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા, અમેરિકા કે અન્ય પશ્ચિમી દેશો સાથે ભારતના વધી રહેલા સહયોગને પોતાના દ્વિપક્ષીય સંબંધો માટે ક્યારેય ખતરો માનતું નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
રશિયન રાષ્ટ્રપતિનું આ આક્રમક નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદવા માટે દબાણ લાવી રહ્યા હોવાની ચર્ચા વૈશ્વિક મીડિયામાં ચાલી રહી છે.
આ મુદ્દે ખુલીને વાત કરતા વ્લાદિમીર પુતિને જણાવ્યું કે, અમેરિકા કેટલાક ચોક્કસ મામલાઓમાં, ખાસ કરીને ઊર્જા અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં રશિયા સાથેના સહયોગને લઈને ભારત પર અન્યાયી દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ હવે આખી દુનિયા એ સમજી ચૂકી છે કે નરેન્દ્ર મોદી પર દબાણ લાવવું જ્યાં વિશ્વની સૌથી મોટી વસ્તી વસે છે તે આંતરરાષ્ટ્રીય સંબંધો અને દ્વિપક્ષીય મૈત્રીપૂર્ણ સંબંધો બંને માટે ભારે નુકસાનકારક સાબિત થશે.
ADVERTISEMENT

જો કે પુતિને પોતાના ભાષણમાં અમેરિકાના કોઈ ચોક્કસ પગલાં કે સત્તાવાર ઘટનાનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તેમનો ઈશારો સ્પષ્ટપણે ઉર્જા, વ્યાપાર અને સંરક્ષણના ક્ષેત્રમાં રશિયા સાથે ભારતના સતત વધી રહેલા જોડાણ પર પશ્ચિમી દેશો દ્વારા વ્યક્ત કરવામાં આવતી ચિંતાઓ તરફ હતો. પુતિને ભારપૂર્વક કહ્યું કે આવા બાહ્ય દબાણની રશિયા અને ભારતના સંબંધોની મજબૂતી પર કોઈ અસર થઈ નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે ભારતની વધી રહેલી વ્યૂહાત્મક ભાગીદારી હોવા છતાં, પુતિન ભારત અને રશિયાના સંબંધોના ભવિષ્યને લઈને સંપૂર્ણપણે આશ્વસ્ત અને સકારાત્મક દેખાયા હતા. તેમણે મક્કમતાપૂર્વક કહ્યું કે, આ બાહ્ય દબાણ ગમે ત્યાંથી આવી રહ્યું હોય, અમને અમારા સંબંધો પર તેની કોઈ પણ નકારાત્મક અસર દેખાતી નથી. અમે ભારત સાથે અમારા સંબંધો સતત વિકસિત કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ તેને વધુ ઊંચાઈ પર લઈ જવાનું ચાલુ રાખીશું.
આ પણ વાંચોઃ દિલ્હી અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી: હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ
રૂસી રાષ્ટ્રપતિએ બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યાપારિક સંબંધોના ભવિષ્ય પર પણ ઊંડો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચેનો પરસ્પર દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડોલરના ઐતિહાસિક આંકડા સુધી પહોંચી શકે છે. સંબોધનના અંતમાં પુતિને કહ્યું કે ભારત એક મહાન દેશ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે હંમેશા કોઈ પણ દેશના દબાણમાં આવ્યા વિના માત્ર અને માત્ર પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ સ્વતંત્ર નિર્ણયો લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.