બ્રેકિંગ ન્યુઝ
આ ટાપુ પર જવું તે મોતને આમંત્રણ આપવા સમાન છે. એવું પણ કહેવાય છે કે, આ ટાપુ પર જનારા લોકો ક્યારેય પણ પરત આવતા નથી. હકીકતમાં આ આઈલેન્ડ (Poveglia Island) સાથે એક ભયાનક કહાની જોડાયેલી છે. આ ડરામણી કહાનીના કારણે જ મોટાભાગના લોકો ‘મોતના ટાપુ’ પર જવાનું ટાળે છે. સરકારે પણ લોકોના આ ટાપુ પર જવા પર પ્રતિબંધ (ban) લાદેલો છે. એવી વર્ષો જૂની માન્યતા છે કે, સેંકડો વર્ષ પહેલા આ આઈલેન્ડ પર પ્લેગના દર્દીઓને લાવીને મરવા માટે ત્યજી દેવામાં આવતા હતાં.
ADVERTISEMENT
જે લોકો આ ટાપુ પર મોતને બેટે તેમને અહીં જ દફન કરી દેવામાં આવતા હતાં. આ આઈલેન્ડ પર પ્લેગના દર્દીઓની સંખ્યા એક સમયે ઘણી વધી ગઈ હતી. એવા સંજોગોમાં 1.60 લાખ બીમાર લોકોને ટાપુ પર જ જીવતા સળગાવી દેવામાં આવ્યાં હતાં. એ દર્દનાક અને પાશવી ઘટના બાદ લોકો આ ટાપુને ‘ભૂતિયા ટાપુ’ તરીકે પણ ઓળખવા લાગ્યા હતાં. ધીમે ધીમે આ ટાપુ પર લોકો આવતા બંધ થઈ ગયા અને પરિણામે આ ટાપુ સાવ વેરાન અને ભેંકાર બની ગયો.
વર્ષ 1922માં જોકે આ ટાપુ પર માનસિક રોગીઓની સારવાર માટે એક મેન્ટલ હોસ્પિટલ બનાવવામાં આવી, પરંતુ થોડા વર્ષોમાં જ તેને બંધ કરી દેવી પડી હતી. તેની પાછળનું કારણ એ જણાવવામાં આવ્યું હતું કે, આ હોસ્પિટલના ડૉક્ટરોથી લઈને નર્સ અને દર્દીઓને પણ અહીં અસામાન્ય અને ડરામણી ચીજો અને વ્યક્તિઓ દેખાતા હતાં. મેન્ટલ હોસ્પિટલ બંધ થયાના અનેક વર્ષો સુધી આ ટાપુ વેરાન પડ્યો રહ્યો હતો. ત્યારબાદ ઈટાલીની સરકારે વર્ષ 1960માં આ ટાપુ એક વ્યક્તિને વેચી દીધો હતો.
ADVERTISEMENT
એ વ્યક્તિ પણ તેના પરિવાર સાથે એ ટાપુ પર શાંતિપૂર્વક જિંદગી જીવી શક્યો નહોતો અને તે થોડા સમયમાં જ ટાપુ છોડીને ક્યાંક ચાલ્યો ગયો હતો. આજે પણ કોઈ માછીમાર આ ટાપુ પર માછલીઓ પકડવા જતો નથી. કેમ કે અનેક વખત તેમની જાળમાં માછલીઓના બદલે માણસોના હાડપિંજર ફસાય જાય છે. જાતજાતની લોકવાયકાઓ અને અફવાઓના પગલે આખરે સરકારે પણ આ ટાપુ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.