વધુ એક વાર પ્રધાનમંત્રી મોદીની પરોપકારિતા છતી થઈ છે. કાશી વિશ્વનાથ ધામના શ્રમિકોને ઉઘાડા પગે કામ કરવું પડે તેવું જાણીને પીએમે તેમને શણના પગરખા મોકલી આપ્યાં.
PM મોદીની કરુણાનો કિસ્સો
કાશી વિશ્વનાથ ધામનાં કામદારો માટે મોકલ્યા પગરખાં
અગાઉ ખુલ્લા પગે કામ કરતાં
વધુ એક વાર પ્રધાનમંત્રી મોદીની માનવતા છતી થઈ છે. પ્રધાન સેવક મોદીએ આ વખતે એવું કામ કર્યું કે જેના ચારેબાજુએ વખાણ થઈ રહ્યાં છે. કાશી વિશ્વનાથ ધામમાં હાલ કામ ચાલી રહ્યું છે. ત્યાં કામદારો માટે પરિસરમાં રબર કે ચામડાંનાં પગરખાં પહેરવા પર પ્રતિબંધ હતો. આ પ્રતિબંધના કારણે તેઓ ખુલ્લા પગે કામ કરતાં હતા. આ ઘટનાની જાણ થતા પ્રધાનમંત્રી મોદી દ્રવી ઉઠ્યાં હતા અને ક્ષણનો પણ વિચાર કર્યા વગર દિલ્હીથી શણના પગરખા મોકલી આપીને માનવતાનું વધુ એક ઉદાહરણ પુરુ પાડ્યું હતું.
Varanasi, UP | PM Narendra Modi sends 100 pairs of jute footwear for the workers at 'Kashi Vishwanath Dham' after finding out that most of them worked bare-footed because it is forbidden to wear leather or rubber footwear in the temple premises: GoI sources pic.twitter.com/BawTJQHYUP
કાશી વિશ્વનાથ ધામ કામ કરતાં કામદારો માટે રબર કે ચામડાંનાં પગરખાં પહેરવા પર પ્રતિબંધ હોવાથી તેઓ ખુલ્લા પગે કામ કરતાં હોવાનું જાણ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ તેઓ માટે શણના પગરખાં મોકલી આપ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ કરેલું ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ
ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે જ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પોતાના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કાશી કોરીડૉરનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણની રાહ ઘણા મહાદેવ ભક્તો વર્ષોથી જોઈ રહ્યા હતા.પ્રધાનમંત્રી મોદી વારાણસીનાં સાસંદ બન્યા પછી આખા જિલ્લામાં અનેક કામો કરવામાં આવ્યા છે પરંતુ ભગવાન ભોળાનાથનાં મંદિરનું રિનોવેશન સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.