પાન કાર્ડ એક અત્યંત જરૂરી દસ્તાવેજ છે. કાયમી એકાઉન્ટ નંબર એક એવો દસ્તાવેજ છે, જે કોઈ પણ નાણાંકીય ટ્રાન્જેક્શન માટે અત્યંત જરૂરી હોય છે. સરકારી કાર્યાલયમાં રૂપિયા ટ્રાન્સફરથી લઇને બેંક એકાઉન્ટ ખોલાવવુ અથવા કોઈ પણ રોકાણ કરવા માટે તેની જરૂર હોય છે.
પાન કાર્ડ નાણાંકીય ટ્રાન્જેક્શન માટે અત્યંત જરૂરી પુરાવો
18 વર્ષથી નાની ઉંમરના બાળકોના પાન કાર્ડ માટે કરો આ રીતે અરજી
બાળકના માતા-પિતા બાળક તરફથી અરજી કરી શકે છે
18 વર્ષથી નાની ઉંમરના બાળકોના પાન કાર્ડ
સામાન્ય રીતે લોકો 18 વર્ષ બાદ પાન કાર્ડ બનાવે છે. પરંતુ અહીં જણાવવાનું કે 18 વર્ષની ઉંમર પહેલા પણ પાન કાર્ડ માટે અરજી કરી શકાય છે. જો તમે પણ તમારા બાળકોના પાન કાર્ડ માટે અરજી કરી શકો છો, પરંતુ તેના માટે આ સ્ટેપ્સને ફૉલો કરવા અત્યંત જરૂરી છે. જો તમે પણ 18 વર્ષથી નાની ઉંમરના બાળકોના પાન કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો આ પ્રક્રિયા ખૂબ સરળ છે. અહીં જણાવવાનું કે કોઈ પણ સગીર સીધુ પાન કાર્ડ માટે અરજી કરતુ નથી. જેના માટે બાળકના માતા-પિતા બાળક તરફથી અરજી કરી શકે છે.
આ રહી અરજીની સરળ પ્રક્રિયા
જો તમે પાન કાર્ડ માટે ઑનલાઈન અરજી કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારે NSDLની વેબસાઈટ પર જાઓ.
આ દરમ્યાન અરજી કરનાર યોગ્ય કેટેગરી પસંદ કર્યા બાદ બધી અંગત જાણકારી ભરે.
હવે તમે સગીરની ઉંમરનુ પ્રમાણ અને માતા-પિતાની ફોટો સહિત બીજા ઘણા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
આ દરમ્યાન માતા-પિતાના સાઈન અપલોડ કરો.
107 રૂપિયા ફી ભર્યા બાદ તમે ફોર્મને સબમિટ કરો.
ત્યારબાદ તમને એક રસીદ નંબર મળશે. જેનો ઉપયોગ તમે અરજદારનુ સ્ટેટસ લગાવવા માટે કરી શકો છો.
અરજી કર્યા બાદ તમને એક મેલ મળશે.
વેરિફિકેશનના 15 દિવસની અંદર જ પાન કાર્ડ તમારી પાસે પહોંચી જશે.