બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / Pak leader's confession: Attacks don't happen in India during prayers, we created terrorism

પેશાવર હુમલો / પાક નેતાનું કબૂલનામું: પ્રાર્થના દરમિયાન ભારતમાં નથી થતી હુમલા, આપણે જ પેદા કર્યો આતંકવાદ

Megha

Last Updated: 11:36 AM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં નમાઝ દરમિયાન થયેલા જીવલેણ આત્મઘાતી હુમલા અંગે રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે ભારતમાં ક્યારેય પૂજા દરમિયાન શ્રદ્ધાળુઓની હત્યા કરવામાં નથી આવી.

  • પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા અંગે રક્ષામંત્રી ખ્વાજા આસિફે આપ્યું નિવેદન 
  • પાકિસ્તાન માટે પોતાને વ્યવસ્થિત કરવાનો સમય આવી ગયો
  • શરૂઆતમાં આપણે જ આતંકવાદના બીજ વાવ્યા હતા

પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલામાં અત્યાર સુધીમાં 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા 200થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાંથી ઘણા જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા છે. એટલે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. હુમલાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સોમવારે બપોરે થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો મંગળવારે બપોર સુધી કાટમાળમાંથી નીકળતા રહ્યા હતા.

એવામાં પાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં નમાઝ દરમિયાન થયેલા જીવલેણ આત્મઘાતી હુમલા અંગે રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે ભારતમાં ક્યારેય પૂજા દરમિયાન શ્રદ્ધાળુઓની હત્યા કરવામાં નથી આવી. હાઇ સિક્યોરીટીવાળી મસ્જિદ પર થયેલા એ એટેકમાં 100 લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. સોમવારે બપોરે લગભગ 1 વાગ્યે મસ્જિદના સેન્ટ્રલ હોલમાં વિસ્ફોટ થયો હતો.

જણાવી દઈએ કે નેશનલ એસેમ્બલીમાં હુમલા પર પોતાના વિચારો વ્યક્ત કરતા આસિફે કહ્યું, 'ભારત કે ઈઝરાયેલમાં પ્રાથના કરતી વખતે પૂજારી/ભક્તોની હત્યા કરવામાં આવી નથી પણ પાકિસ્તાનમાં આવું થયું છે.' એક રિપોર્ટ અનુસાર આતંકવાદ સામેની લડાઈમાં એકતાનું આહ્વાન કરતાં રક્ષામંત્રીએ કહ્યું કે પાકિસ્તાન માટે પોતાને વ્યવસ્થિત કરવાનો સમય આવી ગયો છે. 

PPP કાર્યકાળમાં શરૂ થયું હતું આ યુદ્ધ 
2010-2017 દરમિયાન આતંકવાદની ઘટનાઓને યાદ કરતા રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે, "આ યુદ્ધ PPPના કાર્યકાળ દરમિયાન સ્વાતમાં શરૂ થયું હતું અને પીએમએલ-એનના પાછલા કાર્યકાળ દરમિયાન સમાપ્ત થયું હતું. આ પછી કરાચીથી સ્વાત સુધી દેશમાં શાંતિ સ્થાપિત થઈ હતી. 

આગળ એમને કહ્યું હતું કે 'જો તમને યાદ હોય તો દોઢ કે બે વર્ષ પહેલા અમને આ હોલમાં બે-ત્રણ વખત બ્રિફિંગ આપવામાં આવી હતી જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આ લોકો સાથે વાત કરી શકાય છે અને તેમને શાંતિ તરફ લઈ જઈ શકાય છે. આસિફે કહ્યું કે આ મામલે અલગ-અલગ અભિપ્રાયો સામે આવ્યા હતા પણ તેમ છતાં કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી.

અહેવાલ મુજબ આસિફે કહ્યું કે 'અફઘાન પાકિસ્તાનમાં આવીને સ્થાયી થયા પછી હજારો લોકો બેરોજગાર થઈ ગયા છે. તેનો પહેલો પુરાવા ત્યારે સામે આવ્યા જ્યારે સ્વાતના લોકોએ પુનઃસ્થાપિત લોકોનો વિરોધ કર્યો હતો.'

આપણે જ આતંકના બીજ રોપ્યા 
રિપોર્ટ અનુસાર રક્ષા મંત્રીએ આગળ કહ્યું, 'હું લાંબી વાત નહીં કરું પણ ટૂંકમાં કહીશ કે શરૂઆતમાં અમે આતંકવાદના બીજ વાવ્યા હતા. જ્યારે રશિયાએ અફઘાનિસ્તાનમાં આક્રમણ કર્યું ત્યારે પાકિસ્તાને અમેરિકાને 'ભાડા' પર પોતાની સેવાઓ ઓફર કરી હતી અને એ સમયે જનરલ ઝિયા સત્તામાં હતા. અમેરિકા સાથેનો કરાર આઠથી નવ વર્ષ સુધી ચાલ્યો હતો અને એ પછી અમેરિકાએ તથ્ય સાથે ઉજવણી માનવતા વોશિંગ્ટન પરત ફર્યું હતું કે તેને રશિયાને હરાવી દીધું છે. '

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ