બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Dinesh
Last Updated: 07:36 PM, 5 February 2024
ગુજરાત વિધાનસભા ગૃહમાં રામમંદિર અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેને લઈ કોંગ્રેસના પાટણ ધારાસભ્ય કિરીટ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, રામમંદિરના દરવાજા ખોલવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી. ભગવાન રામ તમામ માટે આદર્શ રાજા છે.
'સત્તાનો દુરુપયોગ બંધ કરો ત્યારે રામરાજ્ય આવશે'
તેમણે કહ્યું હતું કે, રામમંદિર અભિનંદન પ્રસ્તાવનું અમે સમર્થન કરીશું, રામરાજ્યની વાત કરો છો તો રામ ન્યાયપ્રિય હતા. વધુમાં કહ્યું કે, માનવ અધિકારનો ભંગ ન થાય તેમજ વિપક્ષને પણ તેનો બંધારણીય અધિકાર મળવો જોઈએ. સત્તાનો દુરુપયોગ બંધ કરો ત્યારે રામરાજ્ય આવશે. તેમણે કહ્યું કે, રામ રાજ્યની વાતમાં તમે ED અને CBIનો દૂરપયોગ કરો છો તે ખરા અર્થમાં રામ રાજ્ય નથી. રામ મંદિર બનાવીને ખરા અર્થમાં રામ રાજ્યની વાત કરતા હોય તો અમે ચોક્કસ તેને સમર્થન કરીશું
વાંચવા જેવું: મૌલાના ભડકાઉ ભાષણ કેસમાં 4ની અટકાયત: જૂનાગઢ ઉપરાંત આ જગ્યાઓનું પણ કનેક્શન ખૂલ્યું, ATSના ખુલાસા
વિધાનસભા ગૃહમાં અમિત ચાવડાનું નિવેદન
વિધાનસભા ગૃહમાં અમિત ચાવડા વિવિધ મુદ્દાને લઇને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાને ઘરના GDPની ચિંતા છે. લાખો યુવકો સરકારી નોકરીની તૈયારી કરે છે. પરીક્ષા લેવાય છે ત્યારે પેપર ફૂટે છે અને કાયમી પુરા પગારની નોકરી મળતી નથી. કોર્ટમાં હક માટે યુવાનો ધક્કા ખાઇ રહ્યાં છે તેમજ ટેટ-ટાટ પાસ શિક્ષકો કાયમી શિક્ષકોની ભરતી માટે રાહ જોવે છે. વધુમાં આક્ષેપો કરતા કહ્યું કે, નકલી સિરપ અને દારૂ મળતા થયા છે. ગુજરાતમાં જમીની હકિકત વિપરીત છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ