બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / On the occasion of Akshay Tritiya, chariot sandalwood was worshiped at Ahmedabad Jagannath temple
ADVERTISEMENT
જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરાઈ
આજે અખાત્રીજ નો દિવસ છે. આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવેલા 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ વિધિ બાદ જ રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળના 2 વર્ષ બાદ અખાત્રીજ પર્વે આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વૈદિક મંત્રોચ્ચાર અને મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથનું પૂજન કરાયું.
ADVERTISEMENT
પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ શરૂ થશે
ADVERTISEMENT
મહત્વનું છે કે, રથ પૂજન બાદ રથનું સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી શરૂ કરવામાં આવે છે. ત્યાર બાદ 14 જૂને રાજ્યના મંત્રીઓની હાજરીમાં જળયાત્રા યોજાશે અને 1 જુલાઈએ રંગેચંગે જમાલપુર જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા નીકળશે. આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે હાથી, અખાડા, ભજન મંડળી તેમ જ શણગારેલી ટ્રકો સાથે નીકળશે.
અખાત્રીજના પાવન પર્વથી રથયાત્રાની તૈયારીઓ શરૂ
ADVERTISEMENT
અમદાવાદ જગન્નાથ મંદિરે હાલ જે ઐતિહાસિક રથ છે તે અંદાજે 140 વર્ષ જૂના છે. રથ જૂના હોવાના કારણે જર્જરિત થઈ ગયા છે. જેના સમારકામમાં પણ તકલીફ પડી રહી છે. જેથી હવે નવા રથ તૈયાર કરવામાં આવશે. નવા રથ તૈયાર કરવામાં પાંચથી સાત મહિનાનો સમય લાગે છે. એટલે કે આવતી રથયાત્રામાં ભગવાન જગન્નાથ નવા રથમાં બિરાજશે. જો કે, આ વર્ષે તો જૂના રથમાં જ યાત્રા નીકળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.