બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / Odisha Police in action mode regarding Balasore train accident
Priyakant
Last Updated: 10:42 AM, 5 June 2023
ઓડિશાના બાલાસોરમાં દર્દનાક ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ તરફ દુર્ઘટના પછી રવિવારે (4 જૂન) ઓડિશા પોલીસે એક નિવેદન જાહેર કર્યું છે. ઓડિશા પોલીસ કહ્યું છે કે, કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે, તેઓ ટ્રેન દુર્ઘટના વિશે કોઈપણ પ્રકારની ભ્રામક પોસ્ટ શેર કરવાનું ટાળે.
ઓડિશા પોલીસે કહ્યું કે, ખોટી અને ગેરમાર્ગે દોરનારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સમુદાયોને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
શું કહ્યું ઓડિશા પોલીસે ?
ઓડિશા પોલીસે નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, અમે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે, જેઓ અકસ્માત અંગે ખોટી સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરી રહ્યાં છે, તેઓ આમ કરવાથી દૂર રહે. ખોટી અફવાઓ ફેલાવીને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ટ્રેન અકસ્માતનું કારણ અને અન્ય તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
We appeal to all concerned to desist from circulating such false and ill-motivated posts. Severe legal action will be initiated against those who are trying to create communal disharmony by spreading rumours.
— Odisha Police (@odisha_police) June 4, 2023
અશ્વિની વૈષ્ણવે આ અકસ્માતના કારણ વિશે શું કહ્યું ?
અકસ્માત અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, અકસ્માતનું સાચું કારણ જાણી લેવામાં આવ્યું છે અને તેના માટે જવાબદાર દોષિતોની ઓળખ કરી લેવામાં આવી છે. બાલાસોર જિલ્લામાં દુર્ઘટના સ્થળે હાજર હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, તે (અકસ્માત) ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ અને પોઈન્ટ મશીનમાં કરવામાં આવેલા ફેરફારને કારણે થયો હતો. આ સાથે અધિકારીઓએ કોરોમંડલ એક્સપ્રેસના ડ્રાઈવરને પણ ક્લીનચીટ આપી હતી અને કહ્યું હતું કે તેની પાસે આગળ વધવાની ગ્રીન સિગ્નલ હતી અને તે અનુમતિથી વધુ ઝડપે ટ્રેન ચલાવી રહ્યો ન હતો.
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોત
નોંધનીય છે કે, શુક્રવારે (02 જૂન) બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનને સાંકળતી આ ભયાનક દુર્ઘટના લગભગ સાંજે 7 વાગ્યે થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 275 લોકોના મોત થયા હતા અને 1,100 થી વધુ ઘાયલ થયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો