બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Manisha Jogi
Last Updated: 08:13 PM, 16 February 2024
લ઼ૉ કમિશને બિનનિવાસી ભારતીય એટલે કે NRI અને ભારતીય નાગરિકો વચ્ચે થતા લગ્નો અંગે નવી ભલામણ કરી છે. આ ભલામણમાં જણાવવામાં આવ્યું છે કે, NRI અને ભારતીય નાગરિકો વચ્ચે થતા લગ્નોમાં ઘણા પરિવારો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, જે ચિંતાજનક છે. જેથી આ પરિસ્થિતિ માટે યોગ્ય કાયદો અને રજિસ્ટ્રેશન જરૂરી છે.
આયોગના અધ્યક્ષ જસ્ટિસ ઋતિરાજ અવસ્થીએ કાયદા મંત્રાલયને 'બિનનિવાસી ભારતીયો અને ભારતના પ્રવાસી નાગરિકોને લગતા વૈવાહિક મુદ્દા પર કાયદા' નામનો રિપોર્ટ સબમિટ કર્યો છે. આ રિપોર્ટમાં આયોગે જણાવ્યું છે કે, હાલમાં જે NRI અને ભારતીય મૂળના ભારતીય નાગરિકો સાથે થતા લગ્ન વિશે હાલ જે કાયદો છે, તે પૂરતો નથી. આ કાયદો ભારતીય નાગરિકોને પૂરતી સુરક્ષા આપતો નથી.
સેવાનિવૃત્ત જસ્ટિસ ઋતુરાજ અવસ્થિએ કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલને લખેલા પોતાના કવરિંગ લેટરમાં લખ્યું છે કે,'NRI અને ભારતીય નાગરિકો વચ્ચે થતા લગ્નોમાં થઈ રહેલી છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે, જે ચિંતાજનક છે. રિપોર્ટ એવા લગ્નો વિશે છે, જેમાં લગ્ન છેતરપિંડી સાબિત થાય છે, જેને કારણે આ લગ્નનો ભાગ બનેલી મહિલાઓએ ભોગ બનવું પડે છે.
કાયદા પંચના કહેવા પ્રમાણે આ પ્રકારનો કાયદો માત્ર NRI જ નહીં પરંતુ ભારતીય મૂળના પ્રવાસી વિદેશી નાગરિકો એટલે કે oci દરજ્જો ધરાવનાર નાગરિકો પર પણ લાગું થવો જોઈએ. જસ્ટિસ અવસ્થીએ કહ્યું છે કે, 'અમે એ પણ ભલામણ કરી રહ્યા છીએ કે NRI/OCI અને ભારતીય નાગરિકો વચ્ચે બધા પ્રકારના લગ્નને ભારતમાં ફરજિયાત રજિસ્ટર કરાવવા જોઈએ.
જસ્ટિસ ઋતુરાજ અવસ્થીના કહેવા પ્રમાણે નવા કેન્દ્રીય કાયદામાં છૂટાછેડા, જીવનસાથીના ભરણ પોષણ, બાળકો માટે એલ્યુમની, NRI અને OCIને સમન, વોરંટ અથવા કાયદાકીય દસ્તાવેજ સામેલ કરવાની જોગવાઈ પણ હોવી જોઈએ. સાથે જ પાસપોર્ટ અધિનિયમ 1967માં સંશોધન કરીને લગ્ન સમયે હાલની વૈવાહિક સ્થિતિની જાહેરાત, પતિ-પત્નીના પાસપોર્ટને એક બીજા સાથે જોડી દેવા, બંનેના પાસપોર્ટ પર લગ્નના રજિસ્ટ્રેશનનો નંબર આપવો જરૂરી છે.
આ સમગ્ર રિપોર્ટમાં કાયદાપંચનું કહેવું છે કે છેતરપીંડીથી બચવા માટે બિનનિવાસી ભારતીય વિવાહ નોંધણી વિધેયક 2019ને 11 ફેબ્રુઆરી 2019ના રોજ રાજ્યસભામાં રજૂ પણ કરવામાં આવ્યું હતું. 16મી લોકસભામાં આ વિધેયકને વિદેશ મામલાની સમિતિની મોકલવામાં આવ્યું હતું. જે બાદ 17મી એટલે કે હાલની લોકસભા બન્યા બાદ આ વિધેયકને આગળ તપાસ માટે ફરી વિદેશ મામલાની સમિતિ પાસે મોકલી દેવામાં આવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog