બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Now Police Force and the National NDRF also have 30 percent millet
Kishor
Last Updated: 10:41 PM, 3 May 2023
હવે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ ફોર્સ અને નેશનલ NDRFના ભોજનમાં પણ 30 ટકા બાજરી (શ્રી અન્ન) હશે. જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આદેશ જારી કર્યો છે. જે અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આહવાન બાદ તમામ દળોના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે બાજરી ઉર્જાથી ભરપૂર હોય છે, ઓછી પાણીની જરૂરિયાત સાથે દુષ્કાળ પ્રતિરોધક હોય છે.
બાજરીનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવશે
હાલ ઈન્ટરનેશનલ મિલેટ ઈયર-2023ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ નિણર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ છે. જે ઉજવણીના ભાગરૂપે ગૃહ મંત્રાલયે દળોને બાજરી આધારિત મેનૂ રજૂ કરવા તાકીદ કરી છે. આ મામલે ગૃહ મંત્રાલયનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર તમામ દળોએ મિલેટ અંગે જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે જે પણ ભોજનમાં બાજરી દાખલ કરવા આતુર હોય તેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.CAPF અને NDRFના કાર્યક્રમોમાં બાજરીનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્રીય પોલીસ કલ્યાણ બાજરી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પ્રદર્શનો, સેમિનાર, વેબિનાર યોજાશે
બાજરીના મેનુ એડ કર્યા બાદ આ અંગે રસોઇ માટે પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા બાજરી આધારિત વાનગીઓ તૈયાર કરવા માટે રસોઈયાઓ માટે તાલીમ પણ ગોઠવવામાં આવશે. બીજી બાજુ જવાનો અને તેમના પરિવારના સભ્યોમાં બાજરીના ઉપયોગ માટે જાગૃતિ લાવવા નિષ્ણાત લોકો અને એજન્સીઓને પણ કામે લગાડવામાં આવશે. આ ઉપરાંત 'Know Your Millets' પર વિવિધ કાર્યક્રમો, પ્રદર્શનો, સેમિનાર, વેબિનાર, વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે.
બાજરીના મહત્વને ઓળખીને, યુનાઈટેડ નેશન્સે લોકોને પોષક આહાર આપવા તેમજ સ્થાનિક અને વૈશ્વિક માંગ પેદા કરવા માટે 2023ને મિલેટ્સ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે. આ અનાજ આરોગ્ય માટે સારું છે અને ખેડૂતો માટે ફાયદાકારક અને પર્યાવરણને અનુકૂળ પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime