બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / Nitin Parmar's suicide case: murder or suicide? Big revelations in FSL report, problems may increase for MLA Vimal Chudasama
Vishal Khamar
Last Updated: 09:31 PM, 31 October 2023
જૂનાગઢનાં ચોરવાડનાં ઝુઝારપુરનાં નીતિન પરમારનાં આપઘાત મામલે એફએસએલ રિપોર્ટમાં નીતિને ગળે ફાંસો લગાવી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે. ત્યારે નીતિનના ભાઈ અને સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. મૃતક નીતિને આપઘાત પહેલા પત્નિને પણ વીડિયો કોલ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો
નીતિન પરમારનાં આત્મહત્યા કેસમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલી વધી શકે છે. નીતિને સ્યુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમાનું નામ લખ્યું હતું. તેમજ વિમલ ચુડાસમા સહિત અન્ય બે લોકોનાં ત્રાસને કારણે આત્મહત્યાની ચીઠ્ઠી લખી હતી. આત્મહત્યા કેસમાં પોલીસ ધારાસભ્યની પૂછપરછ કરી શકે છે.
શું છે સમગ્ર મામલો
જૂનાગઢ જિલ્લામાં એક યુવકે સ્યુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતક યુવાન ઝુઝારપુર ગામનો રહેવાસી છે. જેને ચોરવાડમાં આપઘાત કર્યો છે. નીતિન પરમાર નામના યુવકે ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ ઝુઝારપુર ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક નીતિન પરમારે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત પ્રાચી ગામના મનુભાઇ કવા અને ભનુભાઇ કવાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
હોસ્પિટલના CCTV ફૂટેજ સામે આવ્યા
સ્યુસાઈડ નોટમાં મૃતકે લખ્યું કે આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું’ આ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ આપઘાતને લઈ ચોરવાડ હોસ્પિટલના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કાળા કલરની કારમાં નીતિન પરમારને લાવતા કેટલાક શખ્સો નજરે પડે છે.. તો આ અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાનું કહેવું છે કે મૃતક નીતિન તેમના માસીનો દીકરો થાય છે. મને બદનામ કરવાનું કાવતરૂ છે..હું બે વર્ષથી નીતિનના સંપર્કમાં નથી,કોઇ વ્યવહાર ન હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ