બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ
લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
VTV / next haring regarding demonetisation is on 9th november
Khevna
Last Updated: 05:42 PM, 12 October 2022
નોટબંધીના મામલે સમીક્ષા કરશે સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે વર્ષ 2016માં થયેલ નોટબંધીની બંધારણીય માન્યતા પર બુધવારે સુનાવણી કરી. અરજી પર કોર્ટે કેન્દ્ર સરકાર અને આરબીઆઈ પાસે વિસ્તૃત એફિડેવિટ દાખલ કરવા કહ્યું છે. આ મામલામાં આગળ સુનાવણી ૯ નવેમ્બરના રોજ થશે. જણાવી દઈએ કે વર્ષ 2016માં કેન્દ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાનું એલાન કર્યું હતું, જેની સામે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી કરતા બુધવારે કહ્યું હતું કે તે સરકારનાં નીતિગત નિર્ણયોની ન્યાયિક સમીક્ષા પર 'લક્ષ્મણ રેખા'થી માહિતગાર છે, પણ એ નક્કી કરવા માટે કે
2016ની નોટબંધીનાં નિર્ણયની તપાસ કરવી પડશે કે શું આ મુદ્દો માત્ર 'એકેડમિક' અભ્યાસ બની ચુક્યો છે. પાંચ જજોનાં એસ. એ. નજીરની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે
જ્યારે બંધારણ પીઠ સામે કોઈ મુદ્દો ઉભો થાય છે, તો જવાબ આપવું તેમનું કર્તવ્ય છે.
કેન્દ્ર સરકાર અને RBI પાસે માંગ્યું એફિડેવિટ
એટોર્ની જનરલ આર. વેંકટરમણિએ કહ્યું કે જ્યાર સુધી નોટબંધી પર એક્ટને યોગ્ય રીતે પડકાર નથી આપવામાં આવતો, ત્યાર સુધી આ મુદ્દો ફરજિયાત રૂપથી
એકેડમિક રહેશે. ડીમોનેટાઈઝેશન અધિનિયમ 1978માં અમુક ઉચ્ચ મૂલ્યની નોટોના ડીમોનેટાઈઝેશનને જનહિત માટે પસાર કરવામાં આવ્યો હતો જેથી અર્થવ્યવસ્થા માટે હાનિકારક પૈસાના ગેરકાયદેસર ટ્રાન્સફરની તપાસ થઈ શકે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ઘોષિત કરવા માટે કે આ શું એકેડમિક છે કે નિષ્ફળ છે, આ માટે મામલાની તપાસ કરવાની જરૂર છે કેમકે બંને પક્ષ સહેમત નથી. કોર્ટે કહ્યું કે
મુદ્દાનો જવાબ આપવા માટે અમારે સુનાવણી કરવી પડશે. કોર્ટની બેન્ચે કહ્યું કે અમે હંમેશા જાણતા હતા કે લક્ષ્મણ રેખા કયા છે, પણ જે પ્રકારે ડીમોનેટાઈઝેશન થયું હતું, તેની તપાસ થવી જોઈએ. અમને નિર્ણય લેવા માટે વકીલોને સાંભળવા પડશે. ત્યાં, કેન્દ્ર સરકાર તરફથી પેશ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે શૈક્ષણિક મુદ્દાઓ પર કોર્ટનો સમય વેસ્ટ ન કરવો જોઈએ.
2016માં થઇ હતી નોટબંધી
મહેતાની દલીલ પર આપત્તિ વ્યક્ત કરતાં અરજીકર્તા વિવેક નારાયણ શર્માનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દીવાને કહ્યું કે તેઓ બંધારણીય પીઠના સમય વેસ્ટ થવા જેવા શબ્દોથી હેરાન છે. કેમકે પાછળની બેન્ચે જ કહ્યું હતું કે આ મામલાને એક બંધારણ બેન્ચ સામે રાખવો જોઈએ. એક પક્ષ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પી. ચિદમ્બરમે કહ્યું કે આમણે કહ્યું કે આવા નોટબંધી માટે સંસદના અલગ કાયદાની જરૂર મુદ્દો શૈક્ષણિક નથી અને તે સર્વોચ્ચ અદાલતે નક્કી કરવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ