બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્ય સરકારની વર્ગ-3 ભરતી માટે CCE પરીક્ષાના નવા નિયમોને મંજૂરી
Last Updated: 10:50 PM, 23 January 2026
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3ની ભરતી માટે લેવાતી CCE પરીક્ષાના નિયમોમાં મોટા ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે.
ADVERTISEMENT

સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ નવા નિયમોને લીલીઝંડી આપવામાં આવી છે. જેના કારણે આવનારી ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી કરવી પડશે.
ADVERTISEMENT

નવા નિયમો અનુસાર, અગાઉ પ્રિલિમ પરીક્ષા 100 ગુણની લેવાતી હતી, જ્યારે હવે તે 150 ગુણની લેવામાં આવશે. આ ફેરફારથી પરીક્ષાની સ્પર્ધાત્મકતા વધશે અને ઉમેદવારોના જ્ઞાનનું વધુ વ્યાપક મૂલ્યાંકન શક્ય બનશે. આ ઉપરાંત CCE પરીક્ષાના સિલેબસમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હળવદના ટીકર ગામે બ્રાહ્મણી નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત, 15 ગામોને થશે અસર
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ નવા નિયમોના અમલ બાદ આગામી દિવસોમાં ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3ની નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.