બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Kinjari
Last Updated: 11:42 AM, 9 October 2021
આર્યને આ વાત સ્વીકારી
NCBના કહ્યાં અનુસાર આર્યન ખાને ઓફીસર્સ સામે વાત સ્વીકારી હતી કે તે ચરસનું સેવન કરે છે અને તેનો મિત્ર અરબાઝ 6 ગ્રામ ચરસ છુપાવીને લગ્ઝરી ક્રુઝ પર જઇ રહ્યો હતો. જેથી તે સમુદ્રમાં ક્રુઝ પર ધમાકેદાર પાર્ટી કરી શકે.
મુંબઇના સમુદ્રમાં 2 ઓક્ટોબરની રત્રે લગ્ઝરી ક્રુઝ પર NCBએ દરોડા પાડ્યા હતા. તેને જોડાયેલી માહીતી પણ સામે આવી છે. જ્યારે ક્રુઝ પર NCBના અધિકારીઓએ અરબાઝને પૂછ્યું કે તેણે કહ્યું તેના જુતામાં તે ડ્રગ્સ છુપાવીને લાવ્યો હતો. અરબાઝે સ્વિકાર્યું છે કે આર્યન તેની સાથે ચરસનું સેવન કરે છે.
આર્યનને રખાયો છે આર્થર રોડ જેલમાં
દર વર્ષે ખાન પરિવાર ગૌરીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવે છે પરંતુ આજના દિવસે સમગ્ર ખાન પરિવારમાં નિરાશા છવાઇ ગઇ છે. કારણકે ખાન પરિવારના પુત્ર આર્યનની જામિનની અરજી રદ્દ કરી દેવામાં આવી છે. સૂત્રોના કહ્યાં અનુસાર ગૌરી ખાન આ વાતને લઇને ખુબ નિરાશ જોવા મળી રહી છે.
આર્યનની 3 અરજી રિજેક્ટ
આર્યન ખાનની 3 અરજી રિજેક્ટ કરી દેવામાં આવી હતી. હવે સેશન્સ કોર્ટમાં ફરીથી અપ્લાય કરવામાં આવશે અને બાદમાં તેને જામીન મળવાની શક્યતાઓ છે.
અરબાઝના વકીલે શું કહ્યું
આર્યન સાથે ઝડપાયેલા આરબાઝના વકીલે કહ્યું છે કે આવતીકાલે તે સેશન્સ કોર્ટમાં જામીનની અરજી કરશે. જો અરબાઝને જામીન મળી જશે તો આર્યનને પણ મળી જશે કારણકે બંને પર એકસરખા આરોપ લાગ્યા છે.
આર્યનના વકીલની ચુપ્પી
આર્યન ખાનના વકીલ સતીષ માનશિંદેએ હજુ સુધી કોઇ નિવેદન આપ્યું નથી. આર્યન ખાનને પહેલા જ આર્થર રોડ જેલમાં લઇ જવામાં આવ્યો છે હવે તેણે જામીન ન મળે ત્યાં સુધી ત્યાં જ રહેવું પડશે.
મુંબઇની સૌથી મોટી જેલ આર્થર રોડ જેલ
આ જેલમાં સંજય દત્તને પણ રાખવામાં આવ્યો હતો અને મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી કસાબને પણ આ જ જેલમાં રાખવામાં આવ્યો હતો. આર્યન ખાન તેમજ અન્ય કથિત આરોપીઓને આર્થર રોડ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. આર્થર રોડ જેલમાં આર્યને જેલના નિયમોનું પાલન કરવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT