બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / navratri 2021 kalash sthapana timing 7 october morning check shardiya navratri puja samagri list
Last Updated: 10:06 AM, 7 October 2021
ADVERTISEMENT
કળશ સ્થાપનનું શુભ મુહર્ત
શારદીય નવરાત્રિની શરુઆતમાં પહેલા દિવસે શૈલપુત્રીના પૂજનની સાથે થાય છે. આ પૂર્વ વિધિ વિધાનના સાથે કલશ સ્થાપનાના કરવામાં આવશે. નવરાત્રિમાં કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ હોય છે. જ્યોતિષ આચાર્ય ડો. અરવિંદ મિશ્રએ જણાવ્યું કે કળશ સ્થાપના માટે શુભ મુહર્ત સવારે 6 વાગ્યે 17 મિનિટથી 7 વાગીને 7 મિનિટ સુધી છે. આ શુભ મુહર્તમાં કળશ સ્થાપિત કરવુ ફળદાયી મનાય છે. જો તમે ઉત્તમ મુહર્તમાં કળશ સ્થાપન કરવાનું ચૂકી ગયા છો તો ચિંતા કરવાની જરુર નથી. આ બાદ વધુ એક શુભ મુહર્ત છે મધ્યાહન કાળમાં અભિજીત મુહર્ત 11.44 થી 12.33 સુધી રહેશે. આ મુહર્તમાં કરવામાં આવેલી કળશ સ્થાપના પણ શુભકારી અને મંગળકારી હોય છે.
ADVERTISEMENT

કળશ સ્થાપનાની સામગ્રી
ADVERTISEMENT
કળશ સ્થાપના માટે જરુરિ સામગ્રીને પહેલા એકત્રિક કરો. આ માટે 7 પ્રકારના અનાજ, મોટા મોઢાવાળું માટીનું વાસણ, પવિત્ર સ્થાન માંથી લવાયેલી માટી, કળશ, ગંગાજળ, આમ અથવા અશોકના પત્તા, સુપારી,જટા વાળા નાળિયળ, લાલ સૂત્ર, મૌલી, ઈલાઈચી, લવિંગ, કપૂર રોલી, અક્ષત લાલ વસ્ત્ર અને પુષ્પની જરુરત પડી છે.

ADVERTISEMENT
આવી રીતે કરવાની છે કળશનું સ્થાપન
સુબહ સ્નાન કરીને મા દુર્ગા, ભગવાન ગણેશ, નવગ્રહ કુબેર વગેરેની મુર્તિ સાથે કળશ સ્થાપન કરો. કળશ ઉપર રોલીથી ઓમ અને સ્વાસ્તિક લખો. કળશે સ્થાન સમયે પૂજા ગૃહમાં પૂર્વના ખૂણા તરફ અથવા ઘરના આંગણામાં પૂર્વ ભાગમં પૃથ્વી પર સાત પ્રકારના અનાજ રાખો. સંભવ છે તો નદીની રેત રાખીને બધું નાંખો. આ ઉપરાંત કળશમાં ગંગાજળ, લવિંગ, ઈલાઈચી, પાન, સોપારી, રોલી, કલાવા, ચંદન, અક્ષત , હળદળ, રુપિયા, પુષ્પ વગેરે નાંખો. પછી ઓમ ભૂમ્યૈ નમઃ કહેતા કળશ ને 7 અનાજો સહિત રેતની ઉપર સ્થાપિત કરો. હવે કળશમાં થોડુ વધારે ગંગાજળ ઉમેરો. તે બાદ જવ અથવા કાચા ચોખા કટોરીમાં ભરી કળશ પર રાખો, હવે તેના પર ચૂંદડી લગાવેલું નારિયળ રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.