બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / UPSC પરીક્ષા પાસ કર્યા વગર તમે પણ બની શકો છો IAS અધિકારી, જાણો સંપૂર્ણ પ્રોસેસ

શાનદાર તક / UPSC પરીક્ષા પાસ કર્યા વગર તમે પણ બની શકો છો IAS અધિકારી, જાણો સંપૂર્ણ પ્રોસેસ

Pravin Joshi

Last Updated: 03:16 AM, 9 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા વિદ્યાર્થીઓ તેમના શાળાના દિવસોથી જ IAS અધિકારી બનવાનું સ્વપ્ન જુએ છે. આ માટે સામાન્ય રીતે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરવી જરૂરી છે, પરંતુ શું તમે જાણો છો કે તમે લેટરલ એન્ટ્રી દ્વારા UPSC પરીક્ષા પાસ કર્યા વિના પણ IAS અધિકારી બની શકો છો?

દેશના અનેક યુવાનોનું સપનું હોય છે કે એક દિવસ તેઓ IAS અફસર બને. પરંતુ UPSC ની કઠિન સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી દરેક માટે સરળ નથી. દર વર્ષે લાખો વિદ્યાર્થી પરીક્ષા આપે છે, પણ માત્ર ગણતરીના લોકો જ સફળ થઈ ને IAS બની શકે છે. પણ શું તમે જાણો છો કે UPSC ની પરીક્ષા આપ્યા વિના પણ તમે IAS સ્તર ના પદ પર પહોંચી શકો છો? હા, આ લેટરલ એન્ટ્રી દ્વારા શક્ય છે.

IAS-OFFICER-TV

લેટરલ એન્ટ્રી શું છે?

લેટરલ એન્ટ્રી એ સરકાર દ્વારા શરૂ કરાયેલી એક વિશેષ ભરતી પ્રક્રિયા છે, જેમાં પ્રાઇવેટ સેક્ટર, પબ્લિક સેક્ટર અથવા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં વર્ષો થી કામ કરતા અનુભવી પ્રોફેશનલ્સને સીધા સરકારના ઉચ્ચ પદ પર નિયુક્ત કરવામાં આવે છે. આ પ્રક્રિયા નો ઉદ્દેશ સરકારી તંત્રમાં વિશેષ જ્ઞાન અને અનુભવ લાવવાનો છે. એમાં ઓફિસરો ને જોઇન્ટ સેક્રેટરી, ડિરેક્ટર અથવા ડેપ્યુટી સેક્રેટરી જવા પદ પર નિયુક્તિ મળે છે, જ્યાં તેઓ પોલિસી બનાવવામાં અને મહત્વના નિર્ણયો લેશે.

JOB-3

પસંદગી કેવી રીતે થાય છે?

આ પ્રક્રિયામાં કોઈ લખિત પરીક્ષા હોતી નથી. ઉમેદવારનો પસંદ તેમના અનુભવ, સિદ્ધિઓ અને UPSC ના ઇન્ટરવ્યૂ પર આધારિત હોય છે. સૌપ્રથમ યોગ્ય ઉમેદવારો ની શોર્ટલિસ્ટ તૈયાર થાય છે, ત્યાર બાદ તેમને ઇન્ટરવ્યૂ માટે બુલાવવામાં આવે છે.

લાયકાત

સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશન અથવા માસ્ટર ડિગ્રી જરૂરી છે.

10 થી 15 વર્ષ નો અનુભવ પ્રાઇવેટ, PSU અથવા અન્ય સંસ્થામાં હોવો જોઈએ.

ઉંમર મર્યાદા

ઉચ્ચ પદ માટે કેટલાંક આર્થિક માનક પણ હોય છે. જેમ કે જોઇન્ટ સેક્રેટરી લેવલ પર વાર્ષિક આવક ઓછામાં ઓછી ₹35 લાખ હોવી જોઈએ.

કેટલા સમય માટે નિયુક્તિ મળે છે?

આ પદો કોન્ટ્રાક્ટ બેઝિસ પર હોય છે. અવધિ સામાન્ય રીતે 3 થી 5 વર્ષ ની હોય છે, જે પરફોર્મન્સ પર આધારિત લાંબી કરી શકાય છે.

વધુ વાંચો : ભારતીય સેનામાં 12 પાસ યુવાઓ માટે ઉમદા તક, અરજી કરતા પહેલા જાણી લો તમામ વિગતો

લેટરલ એન્ટ્રી શા માટે જરૂરી છે?

સરકાર માને છે કે અનુભવી પ્રોફેશનલ્સ નુ સહકાર મળવાથી નિર્ણય પ્રક્રિયા ઝડપી બને છે અને સરકારી તંત્રમાં નવી વિચારધારા (innovation) આવે છે. આ સિસ્ટમ નિષ્ણાતોને સીધા નીતિ સ્તરે લાવવાનો મોકો આપે છે.

  • UPSC ની પરીક્ષા પાસ કરવાની જરૂર નથી.
  • લેટરલ એન્ટ્રી દ્વારા IAS સ્તર ના પદ પર નિયુક્તિ મળી શકે છે.
  • પસંદગી ઇન્ટરવ્યૂ અને અનુભવ આધારે થાય છે.
  • નિયુક્તિ કોન્ટ્રાક્ટ આધારિત છે, સ્થાયી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IASOfficer SpecialRecruitmentProcess Lateral Entry
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ