બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:51 PM, 9 September 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં થયેલી સૈન્ય કાર્યવાહી ઓપરેશન સિંદૂર માત્ર 4 દિવસ ચાલી હતી. આ બાબતે દેશભરમાં ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે એટલી મોટી કાર્યવાહી કેમ ટૂંકા સમયમાં સમાપ્ત થઈ ગઈ? મંગળવારે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ મુદ્દે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી.
ADVERTISEMENT

અમદાવાદમાં યોજાયેલા AIMA ના 52મા રાષ્ટ્રીય વ્યવસ્થાપન સંમેલનમાં બોલતા આર્મી ચીફે કહ્યું કે યુદ્ધ હંમેશાં અનિશ્ચિત હોય છે અને તેની અવધિ વિશે કોઈ ચોક્કસ આગાહી કરી શકાતી નથી. તેમણે કહ્યું કે “ઘણા લોકો કહેતા હતા કે ઓપરેશન સિંદૂર 4 દિવસની ટેસ્ટ મેચની જેમ કેમ સમાપ્ત થયું? પરંતુ વાસ્તવમાં યુદ્ધની અવધિ કોઈ નક્કી કરી શકતું નથી.”
ADVERTISEMENT
#WATCH | Delhi | Chief of the Army Staff Gen Upendra Dwivedi says, "When Russia went in for war, we always thought that this war would last only for 10 days. The Iran-Iraq war, when we saw it, lasted for approximately 10 years. But when it came to the Operation SINDOOR, we were… pic.twitter.com/kJHE60KtBv
— ANI (@ANI) September 9, 2025
જનરલ દ્વિવેદીએ લાંબા સમય સુધી યુદ્ધ ટકાવી રાખવા માટે જરૂરી ત્રણ પાસાં સમજાવ્યાં. તેમાં ફોર્સ વિઝ્યુલાઇઝેશન, ફોર્સ પ્રોટેક્શન અને ફોર્સ એપ્લિકેશન છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે જ્યારે રશિયા યુક્રેન પર ચઢાઈ ગયું, ત્યારે માનવામાં આવ્યું હતું કે આ યુદ્ધ દસ દિવસમાં સમાપ્ત થશે, પરંતુ તે આજેય ચાલુ છે. એ જ રીતે ઈરાન-ઈરાક યુદ્ધ પણ દાયકાથી વધુ સમય સુધી ચાલ્યું હતું. એટલે કે યુદ્ધ કેટલો સમય ચાલશે તે કોઈ આગોતરું કહી શકતું નથી.
ADVERTISEMENT
#WATCH | Delhi | COAS Gen Upendra Dwivedi says, "...The goalposts will keep changing. If I wanted something to fire at 100 kilometres, tomorrow it has to go to 300 kilometres. Because it is not only me, it is the adversary that is also enhancing its technology. As his technology… pic.twitter.com/r288e5t5N6
— ANI (@ANI) September 9, 2025
આર્મી ચીફે વધુમાં કહ્યું કે આધુનિક યુદ્ધમાં ડેવિડ અને ગોલિયાથ સિસ્ટમ મહત્વની છે. એટલે કે ઓછી કિંમતની પણ અદ્યતન ટેકનોલોજી ઘણીવાર મોટા અને શક્તિશાળી પ્રતિસ્પર્ધીને હરાવવાની ક્ષમતા ધરાવે છે. તેથી દેશે લાંબા યુદ્ધ માટે પૂરતા સંસાધનો તથા આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ રહેવું જોઈએ.
ADVERTISEMENT

રક્ષણની મહત્વતા પર જણાવ્યું કે દુશ્મનના સતત હુમલાનો સામનો કરવાની ક્ષમતા સાથે જરૂરી સમયે પ્રતિપ્રહાર કરવાની તૈયારી હોવી જોઈએ. આ માટે આયોજન, સુરક્ષા અને ફોર્સનો યોગ્ય ઉપયોગ એ ત્રણ મુખ્ય મુદ્દા છે. તેમણે કહ્યું કે લક્ષ્યો સતત બદલાતા રહેશે અને વિરોધી પણ પોતાની ટેકનોલોજી સુધારતો રહેશે. તેથી આત્મનિર્ભરતા ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 55 પ્લેનની કેપેસિટી, 75 હજાર ટન, જાણો INS વિશાલની ખાસિયતો, જે વધારશે દરિયાઈ તાકાત
ઉલ્લેખનીય છે કે ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય દળોએ પાકિસ્તાનની અંદર અનેક આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યાં. આ દરમ્યાન પાકિસ્તાને પણ વળતો હુમલો કર્યો અને બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી સંઘર્ષ ચાલુ રહ્યો. બાદમાં 10 મેની સાંજે પરસ્પર કરાર બાદ આ કાર્યવાહી સમાપ્ત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.