બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:14 AM, 4 November 2025
SIR News: આજથી દેશના 12 રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેનસિવ રિવિઝન (SIR) અભિયાન શરૂ થઈ રહ્યું છે, જેમાં 51 કરોડ મતદારો સામેલ થશે. આ અભિયાનનો હેતુ મતદાર યાદીને સુવ્યવસ્થિત કરવાનો છે જેથી કોઈ પણ લાયક નાગરિક મતદાનથી વંચિત ન રહી જાય. અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત કરવામાં આવશે. ચૂંટણી પંચ મંગળવારેથી નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઘરે-ઘરે જઈને મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્ટેનસિવ રિવિઝન (SIR) શરૂ કરશે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 51 કરોડ મતદારો છે. આ કામ 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત થવાની સાથે પૂર્ણ થશે. બિહાર પછી SIRનો આ બીજો તબક્કો છે. બિહાર માટે 7.42 કરોડ મતદારોની અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
#WATCH | Phase 2 of SIR (Special Intensive Revision) to begin today across 12 States/UTs, including Uttar Pradesh.
— ANI (@ANI) November 4, 2025
In Moradabad, District Magistrate Anuj Singh says, "BLOs will visit the house-to-house of all electors and make forms (Enumeration Forms) available to them. They… pic.twitter.com/nmTS0WMRzS
ADVERTISEMENT
જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની બીજા તબક્કાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, તેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, આંદામાન-નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, ગોવા, ગુજરાત, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને બંગાળ સામેલ છે. આમાંથી, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને બંગાળમાં 2026માં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. એમ તો આસામમાં પણ 2026માં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ આસામ માટે SIR પ્રક્રિયાની જાહેરાત અલગથી કરવામાં આવશે કારણ કે ત્યાં હાલમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નાગરિકતા ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે.
ADVERTISEMENT
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે 27 ઓક્ટોબરે SIRના બીજા તબક્કાની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, SIR 4 નવેમ્બરે ગણતરીના તબક્કા સાથે શરૂ થશે અને 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ચૂંટણી પંચ 9 ડિસેમ્બરે પ્રારંભિક મતદાર યાદી જાહેર કરશે અને 7 ફેબ્રુઆરીએ અંતિમ યાદી પ્રકાશિત કરવામાં આવશે.
ADVERTISEMENT
ચૂંટણી પંચનું માનવું છે કે SIR એ ખાતરી કરશે કે કોઈ પણ લાયક મતદાર રહી ન જાય અને કોઈ પણ અયોગ્ય મતદાર યાદીમાં સામેલ ન થાય. મોટાભાગના રાજ્યોમાં છેલ્લી SIR પ્રક્રિયા 2002થી 2004ની વચ્ચે હાથ ધરવામાં આવી હતી. SIRનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર વિદેશી ઇમિગ્રન્ટ્સને તેમના જન્મ સ્થળની ચકાસણી કરીને બહાર કાઢવાનો છે. વિવિધ રાજ્યોમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, ખાસ કરીને બાંગ્લાદેશ અને મ્યાનમારથી આવેલા સામે ચાલી રહેલ કડક કાર્યવાહીને ધ્યાનમાં રાખીને આ પગલું મહત્ત્વપૂર્ણ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
માહિતી પ્રમાણે, ચૂંટણી પંચે સોમવારે મદ્રાસ હાઈકોર્ટને જણાવ્યું કે, વાર્ષિક સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) થી વિપરીત, તમિલનાડુમાં શરૂ કરાયેલ SIR પછી રાજ્યભરમાં લાયક મતદારોની એક સંપૂર્ણપણે નવી યાદી બનાવવામાં આવશે. જણાવી દઈએ કે SSR હાલની મતદાર યાદી જાળવી રાખે છે, જેમાં ફક્ત મતદારોના નામ સામેલ કરવા, ડિલીટ કરવા અથવા નામ સુધારવા માંગતા લોકોએ અરજી કરવાની જરૂર હોય છે. તેનાથી વિપરીત, SIRમાં દરેક મતદારની નવેસરથી ગણતરી કરવામાં આવે છે, એટલે કે મતદાર યાદીમાં પહેલાથી જ રહેલા લોકોને પણ આ પ્રક્રિયામાં આવરી લેવામાં આવે છે.
આ પણ વાંચો: PHOTOS: વાતાવરણમાં આવશે જોરદાર પલટો, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે!
બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી મંગળવારે કોલકાતામાં SIRના વિરોધમાં માર્ચ કરશે. દરમિયાન, ભાજપના ધારાસભ્ય અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી પણ ઉત્તર 24 પરગણા જિલ્લામાં SIR દ્વારા ઘૂસણખોરોને હાંકી કાઢવાની માંગણી સાથે એક માર્ચ કરશે. ભાજપના સાંસદ અને કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો છે કે આ વખતે SIR દ્વારા મતદાર યાદીમાંથી 1.2 કરોડ ગેરકાયદેસર નામો દૂર થશે. દરમિયાન, તમિલનાડુમાં શાસક DMKએ રાજ્યમાં SIRને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.