બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:12 AM, 10 January 2026
રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવારે રાતે રફ્તારનો કહેર જોવા મળ્યો. જયપુરમાં પત્રકાર કોલોની નજીક ખારબાસ ચાર રસ્તા પર એક ઝડપી ઑડી કારે કેટલાય લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને 12 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.
ADVERTISEMENT
जयपुर के पत्रकार कॉलोनी क्षेत्र में हुए भीषण सड़क हादसे में जनहानि तथा कई नागरिकों के घायल होने का समाचार अत्यंत दुःखद है।
— Ranjeet Singh Sodala (@RSodala) January 10, 2026
ईश्वर से प्रार्थना है कि वे दिवंगत आत्मा को शांति दें तथा घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें।
ॐ शांति! pic.twitter.com/JJKrWPF1Kt
માહિતી પ્રમાણે, ખારબાસ સર્કલ નજીક એક સ્પીડમાં આવતી ઑડી કારે બેકાબૂ થઈ ગઈ, પછી તે ડિવાઇડર સાથે અથડાઈ અને પછી રસ્તાની બાજુમાં રાહદારીઓ અને ખાણીપીણીની લારીઓ સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે વ્યક્તિના મોતના અહેવાલ છે. તમામ ઘાયલોને SMS અને જયપુરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
बेकाबू ऑडी कार ने 12 लोगो को रौंदा, सड़क पर दौड़ा मौत का पहिया@DcDmJaipur @RajCMO @jaipur_police pic.twitter.com/iH0F8uznne
— Akirti Panwar (@Akirtithakur) January 9, 2026
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, ઑડી કાર ઓવરસ્પીડમાં હતી અને ડિવાઇડર સાથે અથડાયા પછી બેકાબુ થઈ ગઈ અને લગભગ 30 મીટર સુધી રસ્તા પરની એક ડઝનથી વધુ લારીઓ સાથે અથડાઈ. રસ્તા પરના ખાણીપીણીની લારીઓ પાસે હાજર લોકોને કારે કચડી દીધા. અકસ્માતની માહિતી મળતાં, મુહાના પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ઘાયલોને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે જયપુરિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઑડી કાર જપ્ત કરી લેવામાં આવી છે, અને તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
जयपुर की पत्रकार कॉलोनी में हुआ सड़क हादसा अत्यंत दुखद एवं हृदय विदारक है। सभी घायलों के समुचित एवं त्वरित उपचार के निर्देश दिए गए है ।
— Bhajanlal Sharma (@BhajanlalBjp) January 9, 2026
प्रभु श्रीराम दिवंगत आत्मा को शांति दें तथा घायलों को शीघ्रातिशीघ्र स्वस्थ्य लाभ प्रदान करें।
અકસ્માત સમયે ઑડી કારમાં ચાર લોકો સવાર હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ કારમાં સવાર બે લોકો ઘટનાસ્થળેથી ફરાર થાઈ ગયા અને અન્ય બેને ઘટનાસ્થળે હાજર લોકોએ પકડી લીધા અને માર માર્યો હતો. અકસ્માતમાં સામેલ ઑડી કારનો નંબર દમણ અને દીવનો હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ, આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખિંવસાર અને સીએમઓ અધિકારીઓને ઘાયલોને સંભાળ અને સહાય પૂરી પાડવા માટે તાત્કાલિક એસએમએસ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

FSL ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાર જપ્ત કરી લેવામાં આવી છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, અકસ્માત શુક્રવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ પત્રકાર કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારાબાસ સર્કલ પાસે થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પ્રમાણે, કાર ચાલક નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. જો લોકો ભાગવા ન લાગ્યા ગયા હોત તો ઘણા લોકોના જીવ ગયા હોત.
ADVERTISEMENT
આ પણ વાંચો: અંકિતા ભંડારી હત્યાકાંડની તપાસ CBIને હવાલે, મુખ્યમંત્રીએ ધામીએ કરી ભલામણ
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ પત્રકાર કોલોનીમાં થયેલા માર્ગ અકસ્માત પ્રત્યે સંવેદનશીલતા વ્યક્ત કરતા જયપુર શહેર અને હોસ્પિટલ વહીવટી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. મુખ્યમંત્રી હાલ જોધપુરની મુલાકાતે છે. મુખ્યમંત્રીની સૂચના બાદ, આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખિંવસાર પહેલા જયપુરિયા હોસ્પિટલ અને પછી ટ્રોમા સેન્ટરની મુલાકાત લઈને ઘાયલોની પૂછપરછ કરી. ડોક્ટરોની એક ટીમ ઘાયલોનું સતત નિરીક્ષણ કરી રહી છે. પોલીસ કેસના દરેક પાસાની તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓની શોધ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.